Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાના નવા કેસમાં સામાન્ય વધારો, 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો છે.

Corona Update: કોરોનાના નવા કેસમાં સામાન્ય વધારો, 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કારણે 1,217 લોકોના મૃત્યુ થયા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં 1,70,87,06,705 ડોઝ પણ અપાઈ ચૂક્યા છે. 

fallbacks

નવા 71 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 71,365 કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા સામાન્ય વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે કોરોનાના નવા 67,597 કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 8,92,828 લોકો સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એક દિવસમાં 1,72,211 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.70 ટકા છે. 

એક દિવસમાં 1,217 લોકોના થયા મોત
કોરોનાથી એક દિવસમાં 1,217 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે એક દિવસમાં 1,188 લોકોના કોરોનાથી મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 5,05,279 થયો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ હાલ 4.54% છે. દેશમાં અત્યાર સુધીમાં 74.46 કરોડ કોરોના ટેસ્ટ થયા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More