નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે. છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 141 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોના વાયરસના વધતા કેર વચ્ચે લોકોએ સુરક્ષિત રહેવા માટે પગલાં લેવાના પણ શરૂ કરી દીધા છે. મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને ભાજપના સાંસદ સુરેશ પ્રભુએ પોતાની જાતને આઈસોલેટ કરી છે. આ અગાઉ કેન્દ્રીય સંસદીય રાજ્યમંત્રી વી.મુરલીધરને પણ પોતાને હોમ ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો.
બેંગ્લુરુમાં વહેલી સવારે રાજકીય ડ્રામા, બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા દિગ્વિજય સિંહની ધરપકડ
વાત જાણે એમ છે કે ભાજપના સાંસદ સુરેશ પ્રભુ 10 માર્ચના રોજ સાઉદી અરેબિયા ગયા હતાં. ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા તો તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ સુરક્ષા કારણોસર તેમણે પોતાની જાતને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવાનો નિર્ણય રાખ્યો છે. તેઓ પોતાના ઘરમાં જ હોમ ક્વોરન્ટાઈન છે. આ દરમિયાન તેઓ કોઈન મળી શકે નહીં અને કોઈ તેમની પાસે પણ જઈ શકે નહીં. એક મેડિકલ ટીમ તેમના ઘરે તૈનાત છે.
BJP MP Suresh Prabhu has kept himself under isolation at his residence for the next 14 days, as a precautionary measure even after testing negative, following his return from a recent visit to Saudi Arabia to attend Second Sherpas' Meeting on 10th March 2020. (file pic) #COVID19 pic.twitter.com/jz4YYX6ecf
— ANI (@ANI) March 18, 2020
ભારતીય સેના પણ કોરોના વાયરસના ભરડામાં!, લદાખમાં એક જવાનનો ટેસ્ટ પોઝિટિવ
આ અગાઉ મોદી સરકારમાં સંસદીય કાર્ય રાજ્યમંત્રી વી. મુરલીધરને પણ કોરોનાના વધતા પ્રકોપના પગલે પોતાની જાતને ઘરમાં નજરકેદ કરી હતી. તેમણા સ્ટાફે મંગળવારે આ જાણકારી આપી હતી. તેમના સ્ટાફે કહ્યું હતું કે મંત્રીજી કેરળમાં એક કોન્ફરન્સમાં ગયા હતાં. ત્યાં તેઓ કોવિડ-19થી ચેપગ્રસ્ત એક ડોક્ટરના સંપર્કમાં આવ્યાં હતાં. આથી સુરક્ષાને ધ્યાનમાં લેતા તેઓ ઘરમાં જ એકાંતવાસમાં છે.
જુઓ LIVE TV
મુરલીધરનના સ્ટાફે કહ્યું કે કોરોના વાયરસના ચેપને લઈને તપાસ કરાવી હતી પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ છતાં તેમણે 14 દિવસ સુધી એકાંતવાસમાં રહેવાનું નક્કી કર્યું છે. આ દરમિયાન તેઓ કોઈને મળતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે