નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)ના પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજે છત્તીસગઢ અને ચંડીગઢમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ચંડીગઢના સેક્ટર 32 ખાતે જીએમસીએચમાં દાખલ થયેલો એક સંદિગ્ધ કોરોનાગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. દર્દી ચંડીગઢની છે અને રવિવારે સવારે જ ઇંગ્લેન્ડથી પરત આવી છે. છત્તીસગઢમમાં જે દર્દી કોરોનાગ્રસ્ત છે એ પણ હાલમાં જ લંડનથી પરત આવી છે. આ યુવતીના માતા-પિતા ક્વારંટાઇનમાં રાખવામાં આવ્યા છે.
તમારું બ્લડ ગ્રુપ શું છે ? આ Group કોરોનાથી સૌથી વધારે સુરક્ષિત
સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 169 સુધી પહોંચી ગઈ છે. સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાગ્રસ્ત લોકોમાંથી 14 લોકો ઠીક ગયા છે અને ત્રણના મોત નોંધાયા છે. કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં અત્યાર સુધી 45 મામલા સામે આવ્યા છે. દેશમાં ચેપ રોકવા માટે મોટા પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં સ્કૂલ અને કોલેજ તેમજ થિયેટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઈ, પુણે અને નોઇડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ALL THE UPDATES ON CORONA
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે