Home> India
Advertisement
Prev
Next

શું કોવિશીલ્ડ વેક્સીનને કારણે આવે છે હાર્ટ એટેક? સીરમ ઇન્સ્ટિટ્યૂટે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે.....

તાજેતરમાં કેટલાક રિપોર્ટ્સમાં તે દાવો કરવામાં આવ્યો કે કોવિશીલ્ડ વેક્સીન લીધા બાદ હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. આ સમાચાર બાદ વેક્સીનને લઈને લોકોમાં ભ્રમ અને ડર ફેલાયો હતો. તેના પર કોવિશીલ્ડ બનાવનાર કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.

શું કોવિશીલ્ડ વેક્સીનને કારણે આવે છે હાર્ટ એટેક? સીરમ ઇન્સ્ટિટ્યૂટે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે.....

Heart Attack Cases: તાજેતરમાં, કોવિશિલ્ડ રસી વિશે એક અફવા ઝડપથી ફેલાઈ હતી કે તે હૃદયરોગના હુમલાના બનાવોમાં વધારો કરી રહી છે અને ઘણા મૃત્યુ તેની સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ દાવાઓનો જવાબ આપતા, કોવિશિલ્ડના ઉત્પાદક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ રસી સંપૂર્ણપણે સલામત છે અને અત્યાર સુધી કોવિશિલ્ડને હૃદયરોગના હુમલા સાથે જોડતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. સંસ્થાએ આ અફવાઓને બેજવાબદાર અને ભ્રામક ગણાવી છે, અને લોકોને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી અટકળો પર નહીં, પરંતુ ફક્ત તથ્યો પર વિશ્વાસ કરવા અપીલ કરી છે.

fallbacks

કોરોના મહામારી દરમિયાન કોવિશિલ્ડનું ઉત્પાદન અને વિતરણ કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના તાજેતરના તારણોને સમર્થન આપ્યું છે, જેમાં પુષ્ટિ આપવામાં આવી છે કે રસીઓ સલામત છે અને હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુ સાથે તેનો કોઈ સંબંધ નથી. X પર એક જાહેર નિવેદનમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટે લખ્યું, 'આ રસીઓ સલામત છે અને વૈજ્ઞાનિક રીતે માન્ય છે. કોવિડ-19 કટોકટીના શિખર દરમિયાન લાખો લોકોને વિશ્વાસ સાથે આ રસીઓ આપવામાં આવી હતી.'

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું?
આ નિવેદન આઈસીએમઆર અને એમ્સ તરફથી કરવામાં આવેલા વ્યાપક રિસર્સને ધ્યાનમાં રાખી આવ્યું છે, જેમાં જાણવા મળ્યું કે લોકોમાં અચાનક મોત ઘણા પ્રકારના કારણોનું પરિણામ હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ અને કોવિડ પછીની ગૂંચવણોનો સમાવેશ થાય છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા કોવિડ રસી અને રાજ્યમાં હાલમાં થયેલા હાર્ટ એટેક સંબંધિત મોતો વચ્ચે સંભવિત સંબંધની સૂચન અપાયા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ સ્પષ્ટીકરણ જાહેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે વિસ્તૃત અભ્યાસમાં રસીને આવી ઘટનાઓ સાથે જોડવાના કોઈ પૂરાવા મળ્યા નથી.

આ સ્ટડી દેશના 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં મે થી ઓગસ્ટ 2023 વચ્ચે કરાયો હતો. આ સ્ટડી એવા લોકો પર કરાયો જે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા પરંતુ ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 વચ્ચે તેમનું અચાનક મોત થયું હતું. સ્ટડીથી જાણવા મળ્યું કે કોરોના રસીના કારણે યુવાઓમાં હાર્ટએટેકનું જોખમ વધ્યું નથી, યુવાઓના અચાનક થઈ રહેલા મોતોને તેની સાથે કોઈ કનેક્શન નથી. 

અત્રે જણાવવાનું કે આ સ્ટડી એવા સમયે આવ્યો છે કે જ્યારે દેશ ભરમાં યુવાઓમાં હાર્ટ સંલગ્ન સમસ્યાથી મોતના મામલા વધ્યા છે. આઈસીએમઆર અને નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ અચાનક થઈ રહેલા આ મોતો પાછળના કારણે સમજવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ સ્ટડીમાં જીવનશૈલી અને અગાઉની સ્થિતિઓને અચાનક થઈ રહેલા મોતોનું પ્રમુખ કારણ ગણવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More