Home> India
Advertisement
Prev
Next

ઓ બાપ રે! ગુજરાત પોલીસે ત્રિપુરામાં ચૂંટણી પહેલાં મોરચો સંભાળ્યો, કયા અધિકારીઓ પહોંચ્યા?

Tripura Election : ચૂંટણી પંચને કરેલી અપીલમાં CPM નેતા નીલોત્પલ બસુએ કહ્યું કે, 'દેશના બીજા ખૂણે આવેલા આ નાના પૂર્વોત્તર રાજ્યમાં ગુજરાત પોલીસની તૈનાતીનો અર્થ શું છે
 

ઓ બાપ રે! ગુજરાત પોલીસે ત્રિપુરામાં ચૂંટણી પહેલાં મોરચો સંભાળ્યો, કયા અધિકારીઓ પહોંચ્યા?

Tripura Election : CPMએ ત્રિપુરામાં અર્ધલશ્કરી દળોને બદલે ગુજરાત અને આસામ પોલીસ દળોની તૈનાતી પર ચિંતા વ્યક્ત કરી છે. CPMએ આ મામલે શુક્રવારે ભારતના ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં સીપીએમના સભ્ય નીલોત્પલ બસુએ ગુજરાત અને આસામ પોલીસની તૈનાતીને 'અસામાન્ય' ગણાવી છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત અને આસામ પોલીસે કેટલીક જગ્યાએ બોર્ડર સિક્યુરિટી ફોર્સની જગ્યા લીધી છે. આ અંગે યેચુરીએ શુક્રવારે મીડિયા સામે પત્રકાર પરિષદ યોજી હતી. જ્યારે આ દરમિયાન CPM એ પોસ્ટલ બેલેટની કામગીરીમાં 'અરાજક સ્થિતિ' તરફ ચૂંટણી પંચનું ધ્યાન પણ દોર્યું હતું.

fallbacks

અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાની માંગ
CPM એ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાની માંગ કરી છે. નીલોત્પલ બસુ દ્વારા ચૂંટણી પંચને લખવામાં આવેલા પત્રમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપુરામાં પડાવ નાંખી રહ્યા હતા. સીપીએમ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે આસામ પોલીસની હાજરી આ સંદર્ભમાં ચિંતાનું કારણ બની શકે છે.

આ પણ વાંચો : 

પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ, પતિએ એનિવર્સરીએ જ વીડિયો બનાવી આપઘાત કર્યો

AMUL માં સત્તા કબજે કરવા ભાજપની રણનીતિ, 3 દિગ્ગજ સહકારી આગેવાનોને પાર્ટી ભેગા કર્યા

અન્ય રાજ્ય પોલીસ દળોની તૈનાતી અયોગ્ય છે
બસુએ કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે આસામ અને ગુજરાત પોલીસની ટુકડીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં, આ રાજ્યોની પોલીસે બોર્ડર સિક્યુરિટી ફોર્સની બદલી કરી છે. સીમા સુરક્ષા દળનું આચરણ લોકોનો વિશ્વાસ પ્રેરિત કરે છે. જ્યારે અન્ય રાજ્ય પોલીસ દળોની તૈનાતી અયોગ્ય છે. કારણ કે તે સામાન્ય ચૂંટણી નથી. સામાન્ય રીતે કેન્દ્રીય સુરક્ષા દળો સિવાય અન્ય સુરક્ષા દળોની ઓછી જરૂરિયાત હોય છે.

પૂર્વોત્તર રાજ્યમાં ગુજરાત પોલીસની તૈનાતીનો અર્થ શું 
ચૂંટણી પંચને કરેલી અપીલમાં CPM નેતા નીલોત્પલ બસુએ કહ્યું કે, 'દેશના બીજા ખૂણે આવેલા આ નાના પૂર્વોત્તર રાજ્યમાં ગુજરાત પોલીસની તૈનાતીનો અર્થ શું છે. આવી સ્થિતિમાં ચૂંટણી પરિણામને પ્રભાવિત કરવા માટે અન્ય રાજ્યોની પોલીસને બાહ્ય પરિબળ માનવામાં આવે છે. તેથી, અમે તમને મુક્ત અને ન્યાયી મતદાન કરાવવા વિનંતી કરીએ છીએ. ઉપરાંત, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર કેન્દ્રીય દળો જ તૈનાત થાય. ગંભીર ગેરવહીવટના દાખલાઓ ટાંકીને, CPMએ ચૂંટણી પંચનું ધ્યાન પોસ્ટલ બેલેટના સંચાલનમાં ' અરાજક સ્થિતિ' તરફ દોર્યું હતું.

આ પણ વાંચો : 

ગુજરાતના પેટાળમાં ફૂંફાડા નાંખે છે ભૂકંપનો નાગ, માત્ર ફેબ્રુઆરીમાં 8 વાર આંચકા આવ્યા

અમદાવાદીઓના માથે 300 કરોડનો પાછલા બારણે વધારો, ભાજપની વાહવાહી 300 કરોડનો કર્યો ઘટાડો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More