Home> India
Advertisement
Prev
Next

Agnipath Scheme: રક્ષામંત્રીએ 'અગ્નિપથ યોજના' કરી લોન્ચ, જાણો અગ્નિવીરોને કેટલો મળશે પગાર...

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે કહ્યું કે 'કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના લાવશે'

Agnipath Scheme: રક્ષામંત્રીએ 'અગ્નિપથ યોજના' કરી લોન્ચ, જાણો અગ્નિવીરોને કેટલો મળશે પગાર...

નવી દિલ્હી: દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના લાવશે. રાજનાથ સિંહે જણાવ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાઓની ભરતી કરાશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સેવા નિધિ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થનારા યુવાઓને અગ્નિવીર કહેવામાં આવશે. 

fallbacks

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનાઓને વિશ્વની શ્રેષ્ઠ સેનાઓ બનાવવા માટે આજે સુરક્ષા સંબંધિત કેબિનેટ કમિટીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ નામની એક યોજના લાવી રહ્યા છીએ જે આપણી સેનામાં પરિવર્તનકારી ફેરફાર લાવીને તેમને સંપૂર્ણ રીતે આધુનિક અને સુસજ્જિત બનાવશે. તેમણે કહ્યું કે અગ્નિપથ યોજનાથી રોજગારીની તકો વધશે. અગ્નિવીર સેવા દરમિયાન અર્જિત કૌશલ તથા અનુભવથી યુવાઓને વિભિન્ન ક્ષેત્રોમાં રોજગારી મળશે. તેનાથી અર્થવ્યવસ્થાને પણ ઉચ્ચ કુશળ કાર્યબળ ઉપલબ્ધ થશે. જે ઉત્પાદકતા લાભ અને જીડીપી વૃદ્ધિમાં મદદ કરશે. 

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે અગ્નિવીરો માટે આ યોજનામાં પગારનું એક સારું પેકેજ, 4 વર્ષની સેવા એક્ઝિટ પર સેવા નિધિ પેકેજ તથા એક લિબરલ ડેથ અને ડિસેબિલિટી પેકેજની પણ વ્યવસ્થા કરાઈ છે. 

યોજનાની મહત્વની વાતો...
- આ યોજના હેઠળ સામેલ થનારા યુવાઓને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરાશે.
 - આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષક પગાર મળશે. 
- સેનાની ચાર વર્ષની નોકરી બાદ યુવાઓને ભવિષ્ય માટે વધુ તકો પણ પ્રદાન કરાશે. 
- કોરોના મહામારીના કારણએ છેલ્લા 2 વર્ષથી સેનામાં ભરતી અટકેલી છે. પહેલા નવા સૈનિકોએ 9 મહિનાની ટ્રેનિંગ લેવી પડતી હતી જ્યારે અગ્નિવીરોની ટ્રેનિંગ 6 મહિનાની રહેશે. 

કોણ બની શકશે અગ્નિવીર
અગ્નિપથ યોજના હેઠળ ભરતી થવા માંગતા યુવાઓની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી લઈને 21 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. યુવાઓને ટ્રેનિંગ પીરિયડ સહિત કુલ 4 વર્ષ માટે આર્મ્સ ફોર્સિસમાં સેવાની તક મળશે. ભરતી સેનાના નિર્ધારિત નિયમો મુજબ જ થશે. 

મળશે આટલો પગાર
સેનામાં પહેલા રિટાયરમેન્ટની ઉંમર લગભગ 40 વર્ષ હતી પણ હવે નવા નિયમો મુજબ પહેલા 4 વર્ષ માટે સૈનિકોની ભરતી કરાશે. કહેવાય છે કે હાલ સૈનિકોને ઓછું વેતન મળે છે પરંતુ નવા નિયમો મુજબ લગભગ 30 હજાર જેટલો પગાર મળશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરોને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધીમાં પગાર 40 હાજર રૂપિયા એટલે કે વાર્ષિક 6.92 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. 

પેકેજ સાથે મળશે આ ભથ્થા
એન્યુઅલ પેકેજ સાથે કેટલાક ભથ્થા પણ મળશે. જેમાં રિસ્ક એન્ડ હાર્ડશીપ, રાશન, ડ્રેસ અને ટ્રાવેલ અલાઉન્સ પણ સામેલ હશે. સેવા દરમિયાન ડિસેબલ થવા પર નોન સર્વિસ પીરિયડનો ફૂલ  પે અને ઈન્ટ્રરેસ્ટ પણ મળશે. સેવા નીધિને આવકમાંથી છૂટ અપાશે. અગ્નિવીર ગ્રેજ્યુઈટી અને પેન્શન સંબંધિત લાભ માટે હકદાર નહીં ગણાય. અગ્નિવીરોને ભારતીય સશસ્ત્ર દળોમાં તેમની અવધી માટે 48 લાખ રૂપિયાનો non-contributory જીવન વીમા કવર આપવામાં આવશે. 

અખિલ ભારતીય સ્તરે ભરતી
યુવાઓ માટે નવા નિયમો હેઠળ અખિલ ભારતીય સ્તર પર ભરતી કરાશે. જો કે નવી ભરતી હેઠળ રિટાયર થયા બાદ પેન્શન મળશે નહીં. પરંતુ સારી વાત એ છે કે યુવાઓ નોકરી દરમિયાન કોર્સ કરી શકશે. 

ટ્રેનિંગ બાદ મળશે સર્ટિફિકેટ
રાષ્ટ્રની સેવાની આ અવધિ દરમિયાન અગ્નિવીરોને વિભિન્ન સૈન્ય કૌશલ અને અનુભવ, અનુશાસન, શારીરિક ફિટનેસ, નેતૃત્વ ગુણ, સાહસ, અને દેશપ્રેમની ટ્રેનિંગ આપવામાં આવશે. ચાર વર્ષના આ કાર્યકાળ બાદ અગ્નિવીરોને નાગરિક સમાજમાં સામેલ કરાશે જ્યાં તેઓ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં યોગદાન આપી શકે છે. પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલને તેના યુનિક બાયોડેટાનો ભાગ બનવા  બદલ એક પ્રમાણપત્ર આપવામાં આવશે. 

સેવા નીધિથી નાણાકીય રીતે સશક્ત બનશે
અગ્નિવીર પોતાની યુવાઅવસ્થામાં ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ પ્રોફેશનલ અને પર્સનલ રીતે પરિપકવ અને આત્મ અનુશાસિત બનશે. અગ્નિીવીરના કાર્યકાળ બાદ નાગરિક દુનિયામાં તેમની પ્રગતિ માટે જે રસ્તા અને તકો  ખુલશે તેનાથી ચોક્કસપણે રાષ્ટ્ર નિર્માણની દિશામાં  એક મોટો પ્લસ હશે. આ ઉપરાંત લગભગ 11.71 લાખ રૂપિયાની સેવા નીથિ અગ્નિવીરને નાણાકીય દબાણ વગર પોતાના ભવિષ્યના સપના આગળ વધારવા માટે મદદ  કરશે જે સામાન્ય રીતે સમાજના આર્થિક રીતે વંચિત તબક્કાના યુવાઓ માટે હોય છે. 

ચાર વર્ષ બાદ સેવામુક્ત થઈ શકાશે
અત્રે જણાવવાનું કે ત્રણેય સેના પ્રમુખોએ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ યોજના અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના દ્વારા સેનામાં સામેલ થઈ રહેલા જવાનોની સરેરાશ ઉંમર ઓછી કરવાનો પ્રયત્ન રહેશે અને રક્ષાદળોના ખર્ચામાં પણ ભારે કમી લાવી શકાશે. આ યોજના હેઠળ ચાર વર્ષ માટે યુવાઓ (અગ્નિવીર)ને સેનામાં ભરતી કરાશે અને ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને સેવામુક્ત  કરાશે. તેમને અન્ય જગ્યાએ નોકરી અપાવવા માટે પણ સેના એક સક્રિય ભૂમિકા ભજવશે.

4 વર્ષ બાદ સેના ભરતી માટે વોલેન્ટિયર કરવાની પણ તક
એવો તર્ક અપાઈ રહ્યો છે કે સેનામાં જો કોઈ ચાર વર્ષ કામ કરશે તો તેમની પ્રોફાઈલ મજબૂત બનશે અને દરેક કંપની આવા યુવાઓને હાયર કરવામાં રસ દાખવશે. આ ઉપરાંત સેનામાં 25 ટકા જવાન રહી શકશે જે નિપુર્ણ અને સક્ષમ હશે. જો કે આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે સમયે સેનામાં ભરતી નીકળી હોય. આ માટે 4 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂકેલા અગ્નિવીર વોલેન્ટિયર બની શકશે.આ પ્રોજેક્ટથી સેનાના કરોડો રૂપિયા પણ બચી શકે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More