Pahalgam Attack : પહેલગામ હુમલા બાદ કંઈક મોટું થવાની ચર્ચાઓ વેગ પકડી રહી છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૌપ્રથમ સોમવારે સવારે આર્મી ચીફ સાથે મુલાકાત કરી હતી અને લાંબી ચર્ચા કરી હતી. જે બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર પહોંચ્યા અને ત્યાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. રાજનાથે પીએમને તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદીનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં આખી દુનિયામાં ચર્ચા છે કે કંઈક મોટું થવાનું છે અને ભારત આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા જઈ રહ્યું છે. દિલ્હીથી લઈને બોર્ડર સુધી હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે.
જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો આ 10 શહેરો પર થઈ શકે છે પરમાણુ હુમલો
એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કરી દીધા છે. દરેક ભારતીયને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. તે ગમે તે રાજ્યનો હોય કે કઈ ભાષા બોલતો હોય, તે એ લોકોનું દુઃખ અનુભવી રહ્યો છે જેમણે આ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું જાણું છું કે આ આતંકવાદી હુમલાની તસવીરો જોઈને દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, આતંકવાદીઓ અને તેમના આકાઓ કાશ્મીરને ફરીથી બરબાદ કરવા માંગે છે અને તેથી તેમણે આટલું મોટું ષડયંત્ર કર્યું. દેશની એકતા 140 કરોડ ભારતીયોની એકતા, આતંકવાદ સામેના આ યુદ્ધમાં આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણો સંકલ્પ મજબૂત કરવાનો છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને દેશમાં આક્રોશ આસમાને છે. આતંકીઓને પકડવાનું ઓપરેશન સતત ચાલુ છે. મોટી તૈયારીઓના સંકેત મળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે