Home> India
Advertisement
Prev
Next

Delhi: શાસ્ત્રી પાર્કના ફર્નિચર માર્કેટમાં મધરાતે ભીષણ આગ, 250 દુકાનો ઝપેટમાં આવી

દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગે ભીષણ આગ લાગી. ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગનાી 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ લાગવાથી માર્કેટમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગે ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 3 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો. 

Delhi: શાસ્ત્રી પાર્કના ફર્નિચર માર્કેટમાં મધરાતે ભીષણ આગ, 250 દુકાનો ઝપેટમાં આવી

નવી દિલ્હી: દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગે ભીષણ આગ લાગી. ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગનાી 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ લાગવાથી માર્કેટમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગે ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 3 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો. 

fallbacks

દિલ્હી ફાયર સર્વિસમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસ રાજેશ શુક્લાના જણાવ્યાં મુજબ શાસ્ત્રી પાર્કમાં એક ફર્નિચર બજારમાં આગ લાગી. આગ લાગવાની સૂચના મળતા જ 32 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ બુઝવવાનું કામ શરૂ કર્યું. આઠ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. 

ત્રણ દિવસ પહેલા જ દિલ્હીના દિલશાદ ગાર્ડન ઔદ્યોગિક વિસ્તારમાં સવારે ચાર માળની ઈમારતમાં આવેલા એક સ્ટેશનરી ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આ આગમાં પણ કોઈ જાનહાનિના સમાચાર નહતા. દિલ્હી ફાયર સેવાના નિદેશક અતુલ ગર્ગે આગ  લાગવા પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરી હતી. 

Corona Vaccination ની રેસમાં અમેરિકા-ચીન કરતા આગળ નિકળ્યું ભારત, 85 દિવસમાં પાર કર્યો આ આંકડો

Maharashtra માં 55 હજારથી વધુ કેસ, એક-બે દિવસમાં થઈ શકે છે લૉકડાઉનની જાહેરાત

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More