નવી દિલ્હી: દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગે ભીષણ આગ લાગી. ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગનાી 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ લાગવાથી માર્કેટમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગે ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 3 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો.
દિલ્હી ફાયર સર્વિસમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસ રાજેશ શુક્લાના જણાવ્યાં મુજબ શાસ્ત્રી પાર્કમાં એક ફર્નિચર બજારમાં આગ લાગી. આગ લાગવાની સૂચના મળતા જ 32 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ બુઝવવાનું કામ શરૂ કર્યું. આઠ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
Delhi: Eight people rescued from the fire in a furniture market in Shastri Park. "Fire was reported at 12:45 am & involved around 250 furniture & hardware shops in the market. 32 fire tenders were pressed into action & fire was brought under control by 3 am," a fire official said pic.twitter.com/Uv1Md4mMcg
— ANI (@ANI) April 10, 2021
ત્રણ દિવસ પહેલા જ દિલ્હીના દિલશાદ ગાર્ડન ઔદ્યોગિક વિસ્તારમાં સવારે ચાર માળની ઈમારતમાં આવેલા એક સ્ટેશનરી ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આ આગમાં પણ કોઈ જાનહાનિના સમાચાર નહતા. દિલ્હી ફાયર સેવાના નિદેશક અતુલ ગર્ગે આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરી હતી.
Corona Vaccination ની રેસમાં અમેરિકા-ચીન કરતા આગળ નિકળ્યું ભારત, 85 દિવસમાં પાર કર્યો આ આંકડો
Maharashtra માં 55 હજારથી વધુ કેસ, એક-બે દિવસમાં થઈ શકે છે લૉકડાઉનની જાહેરાત
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે