નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી વારાણસી લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. 2014માં પણ તેઓ વારાણસી અને વડોદરા બેઠક પરથી ચૂંટાયા હતા અને પછી તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી. ગુરૂવારે તેઓ વારાણસીની બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે, તેઓ ગુરૂવારે વારાણસીમાં એક વિશાળ રોડ શો કરશે અને શુક્રવારે તેઓ લોકસભા ચૂંટણી માટેનું નામાંકન ભરશે.
#MODIWITHAKSHAY: અક્ષયના સવાલ પર PM મોદીએ કહ્યું- બોલીવુડના આ ગીતો છે પસંદ
પીએમ મોદીનો ગુરૂવારનો કાર્યક્રમ
બપોરે 12.00 કલાકઃ વારાણસી ખાતે આગમન
બપોરે 1.00 કલાકઃ ભાજપના સિનિયર નેતાઓ અમિત શાહ, જે.પી. નડ્ડા, લક્ષ્મણ આચાર્ય, સુનિલ ઓઝા અને આશુતોષ ટંડન સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા.
#MODIWITHAKSHAY : અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પુછ્યા રોચક સવાલ
બપોરે 3.00 કલાકઃ 7 કિમી લાંબા રોડ શોનો પ્રારંભ
પીએમ મોદીના રોડ શોનો સમગ્ર રૂટ
બીએચયુ(લંકાગેટ)થી પ્રારંભ - રવિદાસ ગેટ - અસ્સી ચૌરાહા - ભદાઈની - શિવાલય - સોનારપુરા - પાંડે હવેલી - મદનપુરા - જંગમબાડી - ગોડોલિયા - કાશી વિશ્વનાથ - દશાશ્વમેધ ઘાટ.
સાંજે 6.30 કલાકઃ દાશાશ્વમેધ ઘાટ ખાતે પીએમ મોદી ગંગા પૂજન અને આરતીમાં ભાગ લેશે.
#MODIWITHAKSHAY: ટ્વિંકલના ટ્વિટ્સ વાંચે છે PM મોદી! જાણો અક્ષય કુમારને શું કહ્યું?
રોડ શો પૂરો થયા બાદ બૌદ્ધિકો સાથે મુલાકાત
રોડ શો પૂરો થયા બાદ પીએમ મોદી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. સમાજના તમામ વર્ગો સાથે 'મિશન ઓલ' કાર્યક્રમ બાબતે વાતચીત કરશે.
ઈલેક્શન કમિશને કહ્યું- ચૂંટણી બાદ રિલીઝ થાય 'પીએમ નરેન્દ્ર મોદી'
પીએમ મોદીનો શુક્રવારનો કાર્યક્રમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે