નવી દિલ્હી: ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને 'સ્વામિત્વ યોજના' 'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ આ યોજનાને ગ્રામીણ ભારત માટે મોટો ફેરફાર લાવનારી યોજના ગણાવી.
પીએમ મોદીએ સ્વામિત્વ યોજના લોન્ચ કરી, કહ્યું- આત્મનિર્ભર ભારત અભિયાનમાં દેશનું વધુ એક મોટું પગલું
હાલ આ રાજ્યોને મળ્યો લાભ
પીએમ મોદીએ બટન દબાવતા જ દેશભરના લગભગ એક લાખ પ્રોપર્ટી માલિકોને એક એસએમએસ આવ્યો અને તેમાં લિંક પર જઈને તેઓ પોતાનું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે વ્યવસ્થા હતી. ત્યારબાદ તેમને કાર્ડની ફિઝિકલ કોપી પણ જે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના હેઠળ હાલ 6 રાજ્યોના 763 કામના લોકોને લાભ મળ્યો. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્ય પ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામ સામેલ છે.. મહારાષ્ટ્રને બાદ કરતા બાકીના તમામ રાજ્યોના લાભાર્થી એક દિવસની અંદર ફિઝિકલ કાર્ડ પ્રાપ્ત કરશે. જ્યારે મહારાષ્ટ્રના જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ મળવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર કાર્ડ માટે સામાન્ય ચાર્જ લાગુ કરવા જઈ રહી છે.
આ રાજ્યમાં બંધ થશે સરકારી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ, ખાસ જાણો કારણ
શું છે સ્વામિત્વ યોજના
કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને 'રેકોર્ડ ઓફ રાઈટ્સ' આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થવાનું છે. આ યોજનાનું અમલીકરણ 4 વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. તેને 2020થી 2024 વચ્ચે પૂરી કરવાની છે અને દશના 6.62 ગામના લોકોને કવર કરવાના છે. તેમાંથી એક લાખ ગામને પ્રારંભિક તબક્કા (પાયલટ ફેઝ)માં 2020-2021 દરમિયાન કવર કરવામાં આવશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અને કર્ણાટકના ગામડાઓની સાથે સાથે પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામો પણ સામેલ હશે.
કેવી રીતે કામ કરશે સ્વામિત્વ યોજના?
સ્વામિત્વ યોજના 'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ ગામડાઓની આવાસીય જમીનની માપણી ડ્રોનથી થશે. ડ્રોનથી ગામડાની સરહદની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રેવન્યૂ બ્લોકની સીમા પણ નક્કી થશે. એટલે કે કયું ઘર કેટલા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેક્નોલોજીથી સટીકતાથી માપી શકાશે. ગામડાના દરેક ઘરનું પ્રોપર્ટી કાર્ડ રાજ્ય સરકારો બનાવડાવશે.
સ્વામિત્વ યોજનાના લાભ
A landmark day for rural development! Do join the programme at 11 AM. #SampatiSeSampanta pic.twitter.com/uM15HqLMD3
— Narendra Modi (@narendramodi) October 11, 2020
કેન્દ્ર સરકારને આ યોજનાથી શું મળશે?
ગ્રામીણ ભારતને જાણો
- દેશમાં કુલ 6 લાખ 40 હજાર 867 ગામડાઓ
- દેશમાં કુલ ગ્રામ પંચાયતો - લગભગ અઢી લાખ
- ગામડાની વસ્તી- 83 કરોડ 30 લાખ 87 હજાર 662
- કુલ વસ્તીમાં ગામડાનો હિસ્સો- 68.84%
- મહિલાઓ-પુરુષો જાતિ ગુણોત્તર- 947:1000
- સાક્ષરતા- 69%
- મહિલા સાક્ષરતાનું પ્રમાણ- 58.75%
- જનસંખ્યા વૃદ્ધિ દર- 12.2%
- સૌથી વધુ ગ્રામીણ વસ્તીવાળા 3 રાજ્યો- ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ
હાથરસ કાંડઃ 'ફેક નક્સલ ભાભી' થઈ વાયરલ, લોકો પૂછી રહ્યું છે- આખરે આ કોણ છે?
કેમ જરૂર પડી આ યોજનાની?
દેશની 60 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. પરંતુ મોટાભાગના ગ્રામજનો પાસે પોતાના ઘરોના માલિકી હકના દસ્તાવેજો નથી. અંગ્રેજોના સમયથી જ ગામમાં ખેતીની જમીનના રેકોર્ડ તો રખાયા પરંતુ રહેણાંક વિસ્તારો પર ધ્યાન ન અપાયું. અનેક રાજ્યોમાં ગામડાઓના રહેણાંક વિસ્તારોનો સર્વો અને મેપિંગ સંપત્તિના સત્યપણા અર્થે થયું નથી. પરિણામ એ આવ્યું કે અનેક ઘરોના સંપત્તિના દસ્તાવેજો છે જ નહીં. આ કમીને દૂર કરવા માટે 'સ્વામિત્વ યોજના' લાવવામાં આવી.
હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે