અમદાવાદ :પંચાગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુદર્શીના રોજ માસિક શિવરાત્રિ (Masik Shivratri 2020) આવે છે. જ્યારે મહાશિવરાત્રિ વર્ષભરમાં એકવાર ઉજવવામાં આવે છે. માસિક શિવરાત્રિ માટે માન્યતા છે કે, આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિનુ દરેક મુશ્કેલ કામ સરળ બની જાય છે.
જન્મના ચાર કલાકમાં જ માતાએ બાળકીનું ગળુ દબાવી હત્યા કરી, કારણ હતું ‘પુત્ર મોહ’
માસિક શિવરાત્રિનું મહત્વ
માસિક શિવરાત્રિ શિવ અને શક્તિના સંગમનું વ્રત હોય છે. તે ન માત્ર ઉપાસકોને પોતાની ઈન્દ્રિયોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ તેને ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન અને લાલચ જેવી ભાવનાઓને રોકવામાં પણ મદદ કરે છે. માસિક શિવરાત્રિ દર મહિને ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, સાપ્તાહિક તહેવારોમાં ભગવાન શિવને સોમવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, માસિક શિવરાત્રિમાં વ્રત, ઉપવાસ રાખવા અને ભગવાન શિવની સાચા મનથી આરાધના કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. આ દિવસે વ્રત કરવાથી દરેક મુશ્કેલ કામ સરળ થઈ જાય છે અને જાતકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે. માસિક શિવરાત્રિના દિવસની મહિમા વિશે એમ પણ કહેવાય છે કે, તે કન્યાઓના મનોવાંછિત વર મેળવવાનો દિવસ છે. આ દિવસે વ્રત કરવાથી તેઓને પોતાની ઈચ્છા અનુસાર વર મળે છે. તેમજ તેમના વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે.
ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન ગગડ્યું, માઈનસ 3 ડિગ્રીથી આબુમાં બરફ જામવાની શરૂઆત થઈ
માસિક શિવરાત્રિનું વ્રત કેવી રીતે કરશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે