Home> India
Advertisement
Prev
Next

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પોતાના વિદાય સમારોહમાં પીએમ મોદીના ભાષણનો આપ્યો જવાબ

10 ઓગસ્ટ 2017ના રોજ અંસારીનો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ તરીકે બીજા કાર્યકાળનો અંતિમ દિવસ હતો. પરંપરા અનુસાર રાજકીય પક્ષ અને મોર્નિંગ સત્રમાં સભાપતિને ધન્યવાદ પાઠવે છે. 

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પોતાના વિદાય સમારોહમાં પીએમ મોદીના ભાષણનો આપ્યો જવાબ

નવી દિલ્હી: પોતાના વિદાય કાર્યક્રમમાં એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવતાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું કે ઘણા લોકો તેમના તે નિવેદનને એ પ્રકારના અવસર પર સ્વિકૃત પદ્ધતિથી ભટકાવ ગણાવ્યું. 10 ઓગસ્ટ 2017ના રોજ અંસારીનો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ તરીકે બીજા કાર્યકાળનો અંતિમ દિવસ હતો. પરંપરા અનુસાર રાજકીય પક્ષ અને મોર્નિંગ સત્રમાં સભાપતિને ધન્યવાદ પાઠવે છે.

fallbacks

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં ચોમાસું જોર પકડે તેવા સંકેત

અંસારીએ કહ્યું, ''વડાપ્રધાનમંત્રીએ તેમાં ભાગ લીધો અને મારી પ્રશંસા કરતી વખતે તેમણે મારા દ્વષ્ટિકોણમાં એક નિશ્વિત ઝુકાવ વિશે પણ સંકેત આપ્યા. તેમણે મુસ્લિમ દેશોમાં રાજકીય રીતે મારા કાર્યકાળ અને કાર્યકાળ સમાપ્ત થયા બાદ અલ્પસંખ્યક સંબંધી પ્રશ્નોની ચર્ચા કરી.'

તેમણે કહ્યું કે 'તેનો સંદર્ભ સંભવત: બેગલુરૂમાં મારા ભાષણ વિશે હતો, જેમાં મેં અસુરક્ષાની વધતી જતી ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો અને ટીવી ઇન્ટરવ્યુંમાં મુસ્લિમો અને કેટલાક અન્ય ધાર્મિક અલ્પસંખ્યકોમાં અસહજતાની ભાવના વિશે વાત કરી હતી.' પદથી મુક્ત થતાં પહેલાં પોતાના અંતિમ ઇન્ટરવ્યૂમાં અંસારી એ તરફ ઇશારો કર્યો કે દેશમાં મુસલમાન અસહજ અનુભવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં ચોમાસું જોર પકડે તેવા સંકેત 

તેમણે કહ્યું કે 'સોશિયલ મીડિયા પર વફાદારોના હંગામા બાદ તેને વિશ્વસનીયતા આપવાનો પ્રયત્ન કર્યો. બીજી તરફ સંપાદકીય ટિપ્પણી અને ઘણા ગંભીર લેખનોમાં વડાપ્રધાનની ટિપ્પણીને આ પ્રકારના અવસર પર સ્વિકૃત પ્રથા ગણવામાં આવે.' તેમણે પોતાની વાતોને રજૂ કરવા માટે ઉર્દૂના એક શેરની પંક્તિનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે 'ભારે શબ્દોમાં રાજની વાત કહી દીધી.''

અંસારી એ પણ સ્વિકારે છે કે રાષ્ટ્રવાદ અને ભારતીયતાના વ્યાપક રીતે સ્વિકાર્ય બહુલવાદી વિચારને હવે ''સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ''ના વિચારના માધ્યમથી ''વિશિષ્ટતાને શુદ્ધ કરવા''ના દ્વષ્ટિકોણથી પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ''સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'' શેર સંસ્કૃતિની સંકીર્ણ પરિભાષા પર આધારિત છે. અંસારીએ આ મુદ્દાઓનો ઉલ્લેખ પોતાના નવા પુસ્તક ''ડેયર આઇ ક્વેશન? રિફ્લેક્શંસ ઓન કંટેપરરી ચેલેંજજ'માં કર્યો છે. આ પુસ્તકમાં તેમના ભાષણો અને ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળના અંતિમ વર્ષ અને તાજેતરના મહિનાઓમાં તેમના લેખોનું સંકલન છે. તેને દર-આનંદ પ્રકાશને પ્રકાશિત કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More