Home> India
Advertisement
Prev
Next

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું ?

 S Jaishankar : ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું ?

 S Jaishankar : ઓપરેશન સિંદૂરને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ હવે કાબુમાં આવી ગઈ છે. અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ માહિતી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આપી છે. યુદ્ધવિરામ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે. 

fallbacks

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ વધી રહ્યો હતો. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ છે. હવે 12 મેના રોજ બંને દેશો આ મુદ્દા પર ફરી વાત કરશે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે શનિવારે સાંજે 5 વાગ્યા પછી બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની લડાઈ થશે નહીં. હવે, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે ભારત આતંકવાદ પર કોઈ સમાધાન કરશે નહીં.

 

લશ્કરી કાર્યવાહી રોકવા પર સર્વસંમતિ થઈ : એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે અને આ પ્રકારનું વલણ ચાલુ રાખશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More