નવી દિલ્હી: ખેડૂતો (Farmers) ના આંદોલન (Farmers Protest) વચ્ચે સરકાર તરફથી ખેડૂતોને ફરી એકવાર પત્ર લખવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલય તરફથી લખાયેલા આ પત્રમાં કહેવાયું છે કે સરકાર ખેડૂતોની દરેક માગણી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું કે હજુ પણ વાતચીતના રસ્તા ખુલ્લા છે. સરકારના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર લખ્યો છે.
Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું
કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વાતચીત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવતા ખેડૂતોને ફરીથી જવાબી પત્ર લખ્યો છે. 23 તારીખના રોજ ખેડૂતો તરફથી મળેલા પત્રના જવાબમાં આ પત્ર લખવામાં આવ્યો.
CM મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- 'બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં'
કેન્દ્ર સરકારે ફરીથી કહ્યું કે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વાતચીત માટે તારીખ જણાવે. કેન્દ્ર સરકાર ખેડૂતો તરફથી ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દાના સમાધાન માટે તત્પર છે. સરકારના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર લખ્યો છે.
અત્રે જણાવવાનું કે સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. દેશના કૃષિમંત્રીએ ખેડૂતોને ભરોસો અપાવ્યો છે કે તેમને તેમના પાકના યોગ્ય ભાવ જ મળશે. પરંતુ ખેડૂતો હજુ પણ નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી પર અડીખમ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે