Home> India
Advertisement
Prev
Next

J&K નો દરજ્જો બહાલ કરવા માટે ચાલુ રહેશે લડાઇ, ભલે જીવ કેમ ન જતો રહે: આઝાદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે (Ghulam Nabi Azad) શનિવારે કહ્યું કે જમ્મૂ કાશ્મીરને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કે ક્ષેત્રના લોકોને તેમની ઓળખ પરત મળી જતી નથી.

J&K નો દરજ્જો બહાલ કરવા માટે ચાલુ રહેશે લડાઇ, ભલે જીવ કેમ ન જતો રહે: આઝાદ

શ્રીનગર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે (Ghulam Nabi Azad) શનિવારે કહ્યું કે જમ્મૂ કાશ્મીરને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કે ક્ષેત્રના લોકોને તેમની ઓળખ પરત મળી જતી નથી. આઝાદે કહ્યું કે ભલે તેના માટે 'અમારે અમારો જીવ કેમ કુર્બાન ન કરવો પડે.'

fallbacks

જમ્મૂ કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું'
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના દેવસર વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરતાં ગુલાબ નબી આઝાદ (Ghulam Nabi Azad)એ કહ્યું કે જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને નિરસ્ત કરવા અને તત્કાલીન રાજ્યને કેંદ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનો કેંદ્રનો 5 ઓગસ્ટ 2019 નો નિર્ણય કંઇક એવો હતો જેની કોઇએ કલ્પના પણ કરી નહી હોય. 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મૂ કાશ્મીરમાં વિજળી પડી. કંઇક એવું થયું જેના વિશે કોઇએ વિચાર્યું ન હતું અથવા અનુમાન લગાવ્યું ન હતું. ના ફક્ત કાશ્મીર કે જમ્મૂ કે લદ્દાખના લોકોએ, પરંતુ ભારતના કોઇપણ નાગરિકે વિચાર્યું નહી હોય કે જમ્મૂ કાશ્મીરનું વિભાજન થઇ જશે. તેને બે ભાગમાં વિભાજિત કરી દો કેન્દ્ર શાસિત પ્રદેશોનું રચના કરવામાં આવશે. 

સરકારની આ સુપરહિટ યોજનામાં 1 રૂપિયો લગાવો અને મેળવો 15 લાખ, ફટાફટ કરો એપ્લાય

'શિયાળા બાદ વિધાનસભા ચૂંટણી'
જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે એક કેંદ્ર શાસિત પ્રદેશને રાજ્ય બનાવવામાં આવે છે, પરંતુ કદાચ પહેલીવાર કોઇ રાજ્યને કેંદ્ર શાસિત પ્રદેશમાં બનાવવામાં આવ્યું. તેમણે કહ્યું કે ચાર ઓગસ્ટ 2019 સુધી જે રાજ્યનો દરજ્જો હતો, તે બહાલ નહી થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે. ભલે અમારા જીવની કુરબાની કેમ ન આપવી પડે કારણ કે તે અમારી ઓળખ હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ફેબ્રુઆરી સુધી જમ્મૂ કાશ્મીરમાં નવા સીમાંકનની પ્રક્રિયા કરીને શિયાળા બાદ વિધાનસભા ચૂંટણી કરાવવી જોઇએ. આઝાદે એ પણ કહ્યું કે શિયાળાના આગામી ચાર મહિનામાં ચૂંટણી કરાવવી સંભવ નથી.  

2019 ની સ્થિતિ બહાલ કરવામાં આવે
આઝાદે કહ્યું કે અમે બધાએ (જૂનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલાવવામાં આવેલી) સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે પહેલાં રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં આવે અને પછી નવું સીમાંકન કરવું જોઇએ. પરંતુ સરકરે તેનો સ્વિકાર કર્યો નહી. એટલા માટે તેમને ફેબ્રુઆરી સુધી નવા સિમાંકનની પ્રક્રિયા સમાપ્ત કરવી જોઇએ અને શિયાળો પુરો થાય બાદ એપ્રિલમાં ચૂંટણી થવી જોઇએ. કોંગ્રેસના વરિષ્ઠના નેતાએ કહ્યું કે પ્રાથમિકતા એ નથી કે કોણ મુખ્યમંત્રી બને, પરંતુ એ છે કે જમ્મૂ કાશ્મીરમાં 4 ઓગસ્ટ 2019 ની સ્થિતિ કેવી રીતે બહાલ કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More