નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેની વિચારધારા અંગે ખોટી ધારણાઓને સ્પષ્ટ કરવા માટે પહેલીવાર સંઘ પ્રમુખ મોહન ભાગવત આ મહિને વિદેશી મીડિયા સાથે વાતચીત કરશે. સુત્રો અનુસાર સંઘ પહેલીવાર આ પગલું ઉઠાવવા જઇ રહ્યું છે. બેઠકનો સમન્વય કરી રહેલા સંઘના એક પદાધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન સિવાય અલગ અલગ દેશોનાં 70 વિદેશી મીડિયા સંગઠનો આ આશયથી નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરવામાં આવ્યા બાદથી જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની દરેક સભામાં આરએસએસની ટીકા કરે છે.
મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન અને દુધ વેચવાની યોજના, BJP નો વિરોધ
આરએસએસનાં પદાધિકારીઓએ કહ્યું કે, આ બ્રીફિંગનો ઉદ્દેશ્ય અલગ મુદ્દાઓ પર સંઘના દ્રષ્ટીકોણ રાખવાની સાતે જ સંગઠન મુદ્દે વર્ષોથી વિકસિત થયેલા ખોટા ખ્યાલોને દુર કરવાનો છે. સંઘનાં એક અન્ય પદાધિકારીએ કહ્યું કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંઘ અને તેની વિચારધારા અંગે ખોટી ધારણાઓને દુર કરવાનો છે. તેમણે કહ્યું કે, આ ભાગવત દ્વારા એક અનૌપચારિક બેઠક હશે જેના પ્રકાશન કે પ્રસારણની પરવાનગી નહી હોય.
હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ
પાક. દ્વારા સતત સીઝફાયરનુ ઉલ્લંઘન, મંઝાકોટ સેક્ટરમાં બંધ કરાવાઇ શાળા
સુત્રો અનુસાર આ સંઘ દ્વારાવિદેશી મીડિયા સાથે પોતાની સાથેનો આ પહેલો સંવાદ હશે. કાર્યક્રમ સાથે જોડાયેલા એક પદાધિકારીએ કહ્યું કે, બેઠકની શરૂઆતમાં મોહન ભાગવતનું ઉદ્ધાટન ભાષણ તશે અને ત્યાર બાદ તેની સાથે સવાલ જવાબનું સત્ર યોજાશે. સંઘ પ્રચાર વિભાગ આ બેઠક માટે સમન્વય કરી રહ્યું છે અને તેનું આયોજન અહીં આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે