લંડન : દેશ છોડીને ભાગી ચુકેલા દારૂના વેપારી વિજય માલ્યાએ રવિવારે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેની 14 હજાર કરોડ રૂપિયાથી વધારેની સંપત્તી જપ્ત થયાની વાત સ્વિકારી છે. માલ્યાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનું આ નિવેદન તેમની સંપુર્ણ વસુલી કરી લેવા અને ભાજપના નેતૃત્વવાળી સરકાર દ્વારા તેમને પોસ્ટર બોય તરીકે ઉપયોગ કરવા માટેનાં તેમનાં દાવાની પૃષ્ટી કરે છે.
PM Modi: 5 વર્ષ સુધી મે માત્ર ખાડા ભર્યા, હવે દેશની જનતાની આશા પુર્ણ કરીશ
ભાજપ મારો ઉપયોગ પોસ્ટરબોય તરીકે કરી રહી છે.
માલ્યા 62 વર્ષે ટ્વીટર પર આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાને પોતે તે વાતનો સ્વિકાર કર્યો છે કે વસુલ કરવામાં આવેલી સંપત્તી તેની 9000 કરોડ રૂપિયાનાં કથિત ગોટાળાથી વધારે છે. માલ્યા પર બેંકોની સાથે ગોટાળા અનેમનીલોન્ડરિંગના આરોપ છે. તેઓ બ્રિટનમાં છે અને ભારતીય એજન્સીઓની તરફથી પ્રત્યાર્પણ મુદ્દાનો સામનો કરી રહ્યા છે. માલ્યાએ કહ્યું કે, મને પોસ્ટર બોય તરીકે વાપરવામાં આવી રહ્યો છે. મારા આ નિવેદનની પૃષ્ટી વડાપ્રધાનનું તે વક્તવ્ય કરે છે જેમાં તેમની સરકારે મારી કથિત ચુકવવા પાત્ર રકમ કરતા પણ વધારે વસુલી કરી હોવાનું કબુલ્યું છે.
હું 1992થી જ બ્રિટનનો નિવાસી
આ તથ્યને નજર અંદાજ કરી દેવામાં આવ્યું કે હું 1992થી જ બ્રિટનનો નિવાસી છું. કારણ કે મને ભાગેડુ કેવું તે દ્રષ્ટીએ અયોગ્ય છે. માલ્યાની આ ટીપ્પણી વડાપ્રધાન મોદીનાં એક હાલનાં જ ઇન્ટરવ્યું બાદ આવી છે. મોદીએ કહ્યું હતું કે માલ્યાએ જેટલા રૂપિયાનું નુકસાન કર્યું, તેના કરતા વધારેની વસુલી કરી લેવામાં આવી અને આ ભારતની એક મોટી જીત છે.
ખુશખબર: PAN-Aadhaar નહી જોડનાર લોકોને મળી વધારે એક તક
વડાપ્રધાન મોદીએ આપ્યું હતું નિવેદન
મોદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જો તમે વિજય માલ્યાનાં મુદ્દે જોશો તો તેના પર બેંકોના 9000 કરોડ રૂપિયા બાકી હતા પરંતુ સરકારે તેની સમગ્ર વિશ્વમાં રહેલી 14 હજાર કરોડ રૂપિયાથી વધારેની સંપત્તી જપ્ત કરી છે. હવે તેમની પરેશાની છે કે અમે તેના કરતા બમણા વસુલ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે