Home> India
Advertisement
Prev
Next

PM મોદી ડિગ્રી વિવાદ: માનહાનિના કેસમાં રાહત માટે કેજરીવાલ જશે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો ફટકો

Gujarat University Defamation Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં રાહત માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચશે. ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત ન મળતાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. તેમની અરજી આગામી 8 થી 10 દિવસમાં સુનાવણી માટે આવી શકે છે.

PM મોદી ડિગ્રી વિવાદ: માનહાનિના કેસમાં રાહત માટે કેજરીવાલ જશે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો ફટકો

અરવિંદ કેજરીવાલ પીએમ મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં રાહત મેળવવા સુપ્રીમ કોર્ટમાં જશે. ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં સુનાવણી પર વચગાળાનો સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે. 11 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ બાદ થયેલા માનહાનિના કેસની સુનાવણી પર વચગાળાનો સ્ટે લાદીને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી પર ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર રિવિઝન પિટિશન દાખલ કરી છે. જેમાં તેમણે નિર્ણયની યોગ્યતા પર સવાલો ઉઠાવ્યા છે. હાઈકોર્ટમાં આ મામલે હજુ સુધી સુનાવણી થઈ નથી.

fallbacks

આ અઠવાડિયે સુનાવણી થઈ શકે છે
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષીનો કેસ ગુજરાતની મેટ્રોપોલિટન કોર્ટ અને સેશન્સ કોર્ટની સાથે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેજરીવાલ અને સંજય સિંહની અરજી પર આ મહિને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટના આંચકા બાદ 11 ઓગસ્ટે મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી દરમિયાન કેજરીવાલ અને સંજય સિંહે પહેલીવાર દલીલ કરી હતી કે તેઓ ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરવા માટે દોષિત નથી. બંને નેતાઓના વકીલોએ તેમના નિવેદનો નોંધ્યા હતા. તો તેના જવાબમાં ગુજરાત યુનિવર્સિટીના વકીલો વતી વોરંટ કાઢવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આ અંગે સુનાવણી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

આ કેસ સાત વર્ષ જૂનો છે
પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો આ આખો મામલો સાત વર્ષ જૂનો છે. એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી હતી. જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે. સીઆઈસીએ કેજરીવાલના જવાબને આરટીઆઈ અરજી તરીકે ગણતો આદેશ પસાર કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 31 માર્ચ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપતાં CICને આપેલા આદેશને રદ કર્યો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીનો આરોપ છે કે કેજરીવાલે આમાં યુનિવર્સિટીને બદનામ કરી છે. આ પછી, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વતી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કેજરીવાલ તેમજ સંજય સિંહ પર માનહાનિનો આરોપ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More