Home> India
Advertisement
Prev
Next

Coronavirus Vaccine: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે કરશે મોટી જાહેરાત!, જાણો વિગતો 

આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.  

Coronavirus Vaccine: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે કરશે મોટી જાહેરાત!, જાણો વિગતો 

નવી દિલ્હી: આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.  

fallbacks

AIIMSનો રિપોર્ટ કહે છે 'સુશાંતે કરી હતી આત્મહત્યા', છતાં આ સવાલો તો હજુ પણ ઠેરના ઠેર

સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે બપોરે એક વાગે દેશ સામે બધી વિગતો જાહેર કરશે. ભારતમાં 3 વેક્સિનની હ્યુમન ટ્રાયલ ચાલુ છે. જેમાંથી બે સ્વદેશી છે. બીજા દેશોમાં વિક્સિત થઈ રહેલી રસીઓ ઉપર પણ ભારત સરકારની નજર છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75,829 નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 65,49,374 થઈ ગયો છે. જેમાંથી 9,37,625 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 55,09,967 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

Hathras Case માં નવો વળાંક, પીડિત પરિવાર Narco Test કરાવવા માટે તૈયાર નથી

કોરોનાથી મૃત્યુનો આંક એક લાખને પાર
દેશમાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુનો આંકડો હવે એક લાખને પાર ગયો છે. એક જ દિવસમાં કોરોનાથી 940 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,01,782 થયો છે. જો કે એક રાહતની વાત એ છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. દુનિયાભરમા રિકવરી રેટ મામલે ભારત ટોચ પર છે. આ રોગને માત આપવામાં સફળતા મેળવનારા વિશ્વભરના 21 ટકા લોકો ભારતમાં છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના દુનિયામાં અત્યાર સુધી આવેલા કેસમાં 18.6 ટકા કેસ ભારતમાં છે. સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર ખુબ ઓછો છે. વૈશ્વિક સ્તરે ભારતનો સીએફઆર (મૃત્યુદર) 2.97 ટકા છે જ્યારે ભારતમાં 1.56 ટકા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More