Home> India
Advertisement
Prev
Next

હિંડનબર્ગ રિપોર્ટ પર રાજકારણ ગરમાયું, રાહુલે કહ્યું- શેરબજારમાં ઘણું જોખમ , બંધારણીય સંસ્થાઓએ કરી રહી છે સમાધાન

Rahul Gandhi: રાહુલે કહ્યું છે કે સેબીના ચેરમેન સામેના આરોપોને કારણે તેની અખંડિતતાને ગંભીર અસર થઈ છે. રાહુલે પૂછ્યું કે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી.
 

હિંડનબર્ગ રિપોર્ટ પર રાજકારણ ગરમાયું, રાહુલે કહ્યું- શેરબજારમાં ઘણું જોખમ , બંધારણીય સંસ્થાઓએ કરી રહી છે સમાધાન

Rahul Gandhi On Hindenburg Research: અમેરિકી રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે નવા રિપોર્ટમાં સીધો માર્કેટ રેગુલેટર સેબી ચેરપર્સન માધવી પુરી બુચ પર અદાણી ગ્રુપની સાથે મળ્યા હોવાના દાવો કર્યો, ત્યારબાદ ભારતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. રવિવારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો મેસેજ કરી આ મામલામાં ત્રણ સવાલ પૂછ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું- રિટેલ ઈન્વેસ્ટરોની સંપત્તિની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સેબીના ચીફ વિરુદ્ધ લાગેલા ગંભીર આરોપોથી સમજુતી કરવામાં આવી છે. દેશભરના ઈમાનદાર ઈન્વેસ્ટરોની પાસે સરકાર સામે મહત્વપૂર્ણ પ્રશ્ન છે. 

fallbacks

રાહુલ ગાંધીના સવાલ
રાહુલ ગાંધીએ એક્સ પોસ્ટમાં ત્રણ સવાલ પૂછ્યા, તે આ પ્રકારે છેઃ સેબી અધ્યક્ષ માધુરી પુરી બુચે અત્યાર સુધી રાજીનામું કેમ ન આપ્યું? જો ઈન્વેસ્ટરો પોતાની મહેનતની કમાણી ગુમાવી દે તો કોને જવાબદાર ઠેરવવામાં આવશે. પીએમ મોદી, સેબી અધ્યક્ષ કે ગૌતમ અદાણી? ખુબ ગંભીર આરોપો સામે આવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે ફરી આ મામલામાં સુઓમોટો લેવો પડશે?

કોંગ્રેસ સાંસદ પ્રમાણે- હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેપીસી તપાસથી એટલા ડરેલા કેમ છે અને તેનાથી શું ખુલાસો થઈ શકે છે. રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો, તેમાં શરૂઆતમાં તેમણે ક્રિકેટ મેચના અમ્પાયરનો ઉલ્લેખ કર્યો જે કોમ્પ્રોમાઇઝ (ફિક્સિંગના સંદર્ભમાં) થાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો અને ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મોટી ઈન્ટરનેશનલ મેચના અમ્પાયર પ્રભાવિત થશે ત્યારે તે મેચનું શું થશે.

સેબીની અધ્યક્ષ માધવી બુચ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેસીપી) ની જરૂર છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં સુધી જેપીસી આ મુદ્દાની તપાસ ન કરે, ત્યાં સુધી તે ચિંતા બનેલી રહેશે કે છેલ્લા સાત દાયકામાં મહેનત કરાવવામાં આવેલી ભારતની બંધારણીય સંસ્થાઓ સાથે સમજુતી કરતા પ્રધાનમંત્રી મોદી પોતાના સહયોગીઓને બચાવતા રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More