Home> India
Advertisement
Prev
Next

કરવા ચોથ પહેલા પત્નીને આપી મોતની ભેટ, પથારીમાં વીજ કરંટ લગાવી પતિએ લીધો જીવ

Jaipur News: જયપુરના આ ક્રૂર વ્યક્તિએ તેની પત્નીને મારવા માટે પથારીમાં વીજ કરંટ લગાવી દીધો. જ્યાં પત્ની સૂતી હતી ત્યાં તેણે ઓશીકા નીચે વીજ વાયરો જોડીને કરંટ શરૂ કર્યો હતો. મોડી રાત્રે પત્ની સુઈ ગઈ ત્યારે તેને જોરદાર આંચકો લાગ્યો અને ગંભીર રીતે દાઝી ગઈ. 

કરવા ચોથ પહેલા પત્નીને આપી મોતની ભેટ, પથારીમાં વીજ કરંટ લગાવી પતિએ લીધો જીવ

Jaipur News: પતિ-પત્નીનો સાત જન્મનો સંબંધ હોય છે, તો રાજસ્થાનના જયપુરમાં એક એવો કેસ સામે આવ્યો, જેમાં એક મહિલાને તેના પતિએ કરવા ચોથ પહેલા કરંટ લગાવી મારી નાખી. પત્નીથી છુટકારો મેળવ્યા બાદ તેણે પોલીસથી બચવા માટે એવો ખતરનાક પ્લાન બનાવ્યો કે પોલીસને સત્ય બહાર લાવવા માટે ઘણી મહેનત કરવી પડી. જોકે પોલીસની કડકાઈ સામે તેણે સમગ્ર સત્ય કબૂલ્યું હતું.

fallbacks

જયપુરના આ ક્રૂર વ્યક્તિએ તેની પત્નીને મારવા માટે પથારીમાં વીજ કરંટ લગાવી દીધો. જ્યાં પત્ની સૂતી હતી ત્યાં તેણે ઓશીકા નીચે વીજ વાયરો જોડીને કરંટ શરૂ કર્યો હતો. મોડી રાત્રે પત્ની સુઈ ગઈ ત્યારે તેને જોરદાર આંચકો લાગ્યો અને ગંભીર રીતે દાઝી ગઈ. જોકે, આ હોવા છતાં તે બચી ગઈ હતી. આ પછી પતિએ વધુ ક્રૂરતા દાખવી પત્નીને બાથરૂમમાં લઈ જઈને એક પછી એક જોરદાર ઈલેક્ટ્રીક આંચકા આપ્યા. આ તેમના મૃત્યુનું કારણ હતું.

હત્યારો પતિ ભાગી ગયો અલવર
રૂવાંટા ઉભા કરી દેતો આ મામલો જયપુરના બિંદાયકા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. તાજેતરમાં અહીં વૈશાલી ઉત્સર એસ્ટેટ સોસાયટી નિવાસી પૂર્વ ટીચર આરતી ગુપ્તાની હત્યા થઈ છે. આરતીનો પતિ સુનીલ કુમાર મૂળરૂપથી બિહારનો નિવાસી હતો. તે ઈલેક્ટ્રિશિયન હતો. 

લગભગ 4-5 દિવસ પહેલા તેણે કરંટથી પત્નીની હત્યા કરી. તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્લાન બનાવી લીધો હતો. પત્નીની કરંટથી હત્યા કરી તે અલવર ભાગી ગયો હતો. પૂછપરછમાં જણાવ્યું કે કામને કારણે અલવર ગયો હતો. આરતીના મોત વિશે કોઈ જાણકારી નથી. 

6 મહિના પહેલાં થયા હતા લવ મેરેજ
ડીસીપી વેસ્ટ જયપુર અમિત કુમારે જાણકારી આપતા જણાવ્યું કે એક વર્ષ પહેલા ઈલેક્ટ્રિશિયન સુનીલ આરતીના ફ્લેટમાં લાઇટ રિપેર કરવા ગયો તો બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. બંનેએ મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યાં અને વાત થવા લાગી હતી. ત્યારબાદ સુનીલે આરતી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તેને આરતીએ સ્વીકારી લીધો હતો. બંનેએ લગ્ન કરી લીધા અને સુનીલ આરતીના ફ્લેટ પર સાથે રહેવા લાગ્યો હતો. તેના પર આરતીના પરિવારજનો પણ નારાજ ન થયા. 

આરતીએ કોલ રિસીવ ન કર્યો
આશરે ત્રણ દિવસ પહેલા જ્યારે આરતીના પરિવારજનોએ તેને ફોન કર્યો તો તેણે રિસીવ ન કર્યો. ત્યારબાદ સુનીલને ફોન કર્યો હતો. સુનીલે જણાવ્યું કે તે પોતાના કામથી અલવર ગયો છે. ત્યારબાદ આરતીના પરિવારજનો ફ્લેટ પર પહોંચ્યા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. 

પોલીસના આગમન બાદ જ્યારે જોયું તો ખબર પડી કે ફ્લેટના બાથરૂમમાં આરતી બળેલી હાલતમાં પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ પોલીસે આરતીની હત્યાના આરોપમાં સુનીલની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More