Home> India
Advertisement
Prev
Next

IAS Keerthi Jalli: સ્ટેડિયમમાં કૂતરાને ફેરવનાર IAS કપલ પછી અહેવાલોમાં કેમ છવાયેલા છે આ IAS? લોકો કરી રહ્યા છે પ્રશંસા

IAS Keerthi Jalli: પોતાની પોઝિશનનો ખોટો ફાયદો ઉઠાવીને સ્ટેડિયમમાં કૂતરાને વોક કરાવનાર સીનિયર IAS સંજીવ ખિરવાર અને તેમની IAS પત્ની રિંકુ દુગ્ગાની દેશભરમાં ટીકા થઈ રહી છે. જ્યારે, આ સમયે જ આસામના એક યુવા IAS ઓફિસર કીર્તિ જલ્લી પોતાના સારા કાર્યોને કારણે અહેવાલોમાં છે.

IAS Keerthi Jalli: સ્ટેડિયમમાં કૂતરાને ફેરવનાર IAS કપલ પછી અહેવાલોમાં કેમ છવાયેલા છે આ IAS? લોકો કરી રહ્યા છે પ્રશંસા

IAS Keerthi Jalli: દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કુતરાને ફેરવવું IAS દંપતિને ભારે પડ્યું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેમના વિશે અનેક વાતો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. કુતરાને ફેરવવાનો મુદ્દો મીડિયામાં ખૂબ ઉછળ્યો હતો, એટલા માટે આ અધિકારીઓએ પર ગૃહ મંત્રાલય તરફથી ગાજ ગરજી છે. પોતાની પોઝિશનનો ખોટો ફાયદો ઉઠાવીને સ્ટેડિયમમાં કૂતરાને વોક કરાવનાર સીનિયર IAS સંજીવ ખિરવાર અને તેમની IAS પત્ની રિંકુ દુગ્ગાની દેશભરમાં ટીકા થઈ રહી છે. જ્યારે, આ સમયે જ આસામના એક યુવા IAS ઓફિસર કીર્તિ જલ્લી પોતાના સારા કાર્યોને કારણે અહેવાલોમાં છે.

fallbacks

fallbacks

કીર્તિ જલ્લી આસામના કછાર જિલ્લાના જિલ્લા ડેપ્યુટી કમિશનર એટલે કે ડીસી છે. કછાર જિલ્લામાં હાલના દિવસોમાં ગંભીર પૂરની ઝપેટમાં છે. ત્યાં પાણીમાં ડૂબી જવાથી લોકોનો પાક બરબાદ થયો છે અને પાણીમાં ઘરો તૂટ્યા છે.

fallbacks

આવી સ્થિતિમાં પૂરના પ્રકોપમાં લોકોને રાહત આપવા માટે ડીસી કીર્તિ જલ્લી પોતે આગળ આવીને મોર્ચો સંભાળ્યો છે. તે માત્ર પૂરગ્રસ્ત વિસ્તારોની જાતે જ મુલાકાત નથી લઈ રહ્યા પરંતુ પીડિતોને રાશન, દવા, શુધ્ધ પાણી અને ધાબળા અને કપડાં પણ આપી રહ્યા છે.

fallbacks

ડીસી કીર્તિ જલ્લી (આઈએએસ કીર્તિ જલ્લી) 25 મેના રોજ પૂર પ્રભાવિત ચેસરી ગામમાં નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. નદીની વચ્ચે આવેલા ટાપુ પર આવેલા આ ગામમાં પહોંચવા માટે તેણે હોડીનો સહારો લીધો. તે પછી જ તે લોકો સુધી પહોંચી શકી.

fallbacks

ગામમાં પહોંચ્યા પછી અંદર જવાનો રસ્તો નહોતો. આવી સ્થિતિમાં તે પોતે જ પોતાના ચપ્પલ ઉતારીને કાદવથી ભરેલા રસ્તાઓમાંથી અંદર પહોંચ્યા અને ગામની હાલત વિશે જાણ કરી. તેમણે અધિકારીઓને જમીન ધોવાણ રોકવા અને ગ્રામવાસીઓને રાહત સામગ્રી પહોંચાડવાનો આદેશ આપ્યો.

fallbacks

ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક અધિકારીઓ પગ ધોવા માટે ચોખ્ખું પાણી લઈને આવ્યા ત્યારે તેઓએ ના પાડી અને કહ્યું કે, આ પાણી ગ્રામજનોને આપો, તેઓ પૂરના પાણીથી જ પગ ધોશે.

fallbacks

જણાવી દઈએ કે આ વર્ષે કછાર જિલ્લાના 291 ગામો ભયંકર પૂરથી પ્રભાવિત થયા છે. જેના કારણે 1,63,000 લોકો પ્રભાવિત થયા છે. આ દુર્ઘટનાને કારણે 11,200 ઘરોને નુકસાન થયું છે અને તેઓએ અન્ય સ્થળોએ આશરો લેવો પડ્યો છે. જ્યારે, કછારમાં 5,915 હેક્ટર પાક ડૂબી ગયો છે. હવે પ્રશાસન લોકોને રાહત આપવા માટે અભિયાનને તેજ કરવામાં વ્યસ્ત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More