ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી સામે ઝઝૂમી રહેલ ભારત દેશ આ સંકટમાંથી નીકળવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ આ વાત પર મંથન ચાલી રહ્યું છે કે, લોકડાઉન (Lockdown) ખોલવામાં આવે કે નહિ, તો બીજ તરફ કોરોના વાયરસ ટેસ્ટીંગ કિટ (Testing Kit) પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી રહી છે.
એક ફેસબુક પોસ્ટનો દાવો છે કે, કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ આઈસીએમઆર દ્વારા વધેલા ભાવમાં ખરીદવામાં આવી છે. ટેસ્ટીંગ કીટની કિંમત સાથે જોડાયેલ આ સોશિયલ મીડિયા પોસ્ટના આધાર પર કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે ICMR પર સવાલો ઉભા કર્યાં છે. ઉદિત રાજના આ સવાર પર ICMRએ જવાબ આપ્યો કે, આવી કોઈ પણ માહિતી ખોટી છે.
दावा : हिन्दुस्तान अखबार ने रिपोर्ट किया है कि #Covid_19 के मद्देनज़र केंद्र सरकार के कर्मचारियों को एलटीसी/लीव एनकैशमेंट/ ओटीए/ मेडिकल जैसी सुविधाओं में कटौती का सामना करना पड़ेगा#PIBFactCheck:सरकार द्वारा ऐसा कोई प्रस्ताव नहीं है। मीडिया रिपोर्ट गलत और निराधार है। (1/2) pic.twitter.com/cEhM59Javq
— PIB Fact Check (@PIBFactCheck) April 27, 2020
ઉદિત રાજે જે પોસ્ટના આધાર પર ICMR ને સવાલ કર્યા હતા, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓ ટેસ્ટીંગ કીટ ઓછી કિંમતમાં આપવા માટે તૈયાર હતી. પરંતુ આ કામ એક ગુજરાતી કંપનીને આપવામાં આવ્યું. જે અનેકગણા ભાવમાં કિટ આપી રહી છે.
ICMR એ આ માહિતીને નકારી કાઢી છે. પીઆઈપી ફેક્ટચેકે તેનો જવાબ આપતા પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, આ એક ફેક ન્યૂઝ છે. ICMRએ જે કિંમત નક્કી કરી છે, તે હિસાબથી RT-PCR ટેસ્ટની કિંમત 740-1150 ની વચ્ચે અને રેપિડ ટેસ્ટની કિંમત 528-795 રાખવામાં આવી છે. કોઈ પણ ટેસ્ટ 4500 રૂપિયામાં કરવામાં નથી આવી રહ્યો.
આ સાથે જ ICMR એમ પણ જણાવ્યું કે, જો કોઈ ભારતીય કંપની ઓછી કિંમતમાં સપ્લાય આપવા માંગે છે, તો તેમનુ સ્વાગત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે