Home> India
Advertisement
Prev
Next

માયાવતી મુસ્લિમોનાં મત ઇચ્છતા હોય તો બાકી જનતા ભાજપને મત આપે: યોગી

કૈરાના લોકસભા સીટના ભાજપ ઉમેદવારનાં સમર્થનમાં જનસભાને સંબોધિત કરતા યુપીના મુખ્યમંત્રીએ લોકોને ભાજપ તરફી મતદાન કરવા માટે અપીલ કરી

માયાવતી મુસ્લિમોનાં મત ઇચ્છતા હોય તો બાકી જનતા ભાજપને મત આપે: યોગી

શામલી : શામલી જનપદની કૈરાના લોકસભા સીટથી ભાજપ ઉમેદવારનાં સમર્થનમાં એક વિશાળ સભાને સંબોધિત કરતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શામલી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિપક્ષ પર ભારે હુમલો કર્યો અને કહ્યું કે, વિપક્ષ પાકિસ્તાનની બોલી બોલી રહ્યું છે. આ ગઠબંધને કૈરાનાં લોકસભા ઉમેદવાર તબ્બસુમ હસનનાં પરિવારને તેમણે ગુંડાઓનો પરિવાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, માયાવતી જ્યાં મુસ્લિમોએ એક થઇને મત આપવાની વાત કરી રહ્યા છે તો અન્ય લોકોના વોટ અમને મળવા જોઇએ. હું બાકી અન્ય લોકોનાં મત લેવા માટે જ અહીં આવ્યો છું. 

fallbacks

IAFએ પુરાવા રજુ કરીને F-16 અંગે પાક.ને ફરી તમાચો માર્યો, અમેરિકા ભોંઠુ પડ્યું

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી શહીદોની શહાદત પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યા છે. બીજી તરફ સપા-બસપા અને લોકદળના ઝંડાને પણ ગુંડાઓના ઝંડા ગણાવ્યા અને ગુંડા આ ઝંડાને લઇને તાંડવ કરી રહ્યા હતા. 

યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યો પ્રહાર
યોગી આદિત્યનાથે વિશાળ જનસભાને સંબોધિત કરતા વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો અને કહ્યું કે, હાલ સહારનપુરમાં યોજાનારી રેલી દરમિયાન માયાવતીએ મુસ્લિમોની મતબેંકને પોતાનું ગણાવતા કહ્યું કે, અમે માત્ર મુસ્લિમોનાં મત જોઇએ. તેમણે અન્ય લોગોને મત આપવા માટેની વાત કહી છે કે અહીં અન્ય લોકોના મત માંગવા માટે આવ્યો છું. 

વાણીવિલાસ કરનાર ફારુક અને મહેબુબાને રાજનાથનો સણસણતો જવાબ

બીજી તરફ તેમણે સમાજવાદી અને કોંગ્રેસ દ્વારા શહીદોની શહાદત પર પ્રશ્ન ચિન્હ ઉઠાવવા અંગે પણ સવાલ પેદા કર્યો છે આ બંન્ને પાર્ટીઓ દેશનાં શહીદો પર પણ સવાલે ઉઠાવે છે. જો કે અમે લોકો આતંકવાદને બુલેટથી ખતમ કરીએ છીએ તેમને કૈરાનાની વાત ઉઠાવતા કહ્યું કે, અહીં ગુંડા અને આતંકવાદનો પડછાયો હતો.  તેમને સંરક્ષણ હસન પરિવાર આપતો હતો સંઘ પરિવારને ખાત પરિવાર છે  આ બધા જ તેનું મળુ રહ્યા છે તો આ 100 ઉંદર ખાઇને બિલ્લી હજ તરફ જઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More