India Toll Tax News: ભારતીય અર્થતંત્રના હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને જાળવણીમાં ટોલ આવક એક મહત્વપૂર્ણ ભાગ છે. તાજેતરના સમયમાં, ટોલ વસૂલાતમાં પારદર્શિતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે ઘણું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.
NHAI તે નક્કી કર્યું છે કે રોડનો ઉપયોગ કરનાર બધા વ્યક્તિઓ પર સમાન રૂપથી કર લેવામાં આવશે, છતાં એક લિસ્ટ છે, જેમાં આવનાર લોોકને ટોલ ટેક્સથી છૂટ પ્રાપ્ત છે.
કોણ છે તે લોકો, જેને નથી ભરવો પડતો ટોલ ટેક્સ?
- ભારતના રાષ્ટ્રપતિ
- ભારતના ઉપરાષ્ટ્રપતિ
- ભારતના વડા પ્રધાન
- ભારતના મુખ્ય ન્યાયાધીશ
- લોકસભાના અધ્યક્ષ
- રાજ્યોના રાજ્યપાલો
- રાજ્યોના મુખ્યમંત્રીઓ
- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો
- હાઇકોર્ટના ન્યાયાધીશો
- સંસદના સભ્યો (સાંસદો)
- રાજ્યોની વિધાન પરિષદો (MLC) ના સભ્યો
- વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)
આ પણ વાંચોઃ 3 વર્ષમાં 1 લાખના બનાવ્યા ₹36 લાખ, 5 વર્ષમાં 85 લાખ, આ શેર બન્યો કુબેરનો ખજાનો
મહત્વનું છે કે રાજ્ય નેતાઓને આ છૂટ સામાન્ય રીતે માત્ર તેના સંબંધિત રાજ્યોની અંદર મળે છે.
આ લોકોને પણ મળે છે છૂટ
-ભારત સરકારના સચિવ
-લોકસભાના સચિવ
-રાજ્યસભાના સચિવ
-સેના, નૌકાદળ અને વાયુસેનાના ચીફ ઓફ સ્ટાફ
-કમાન્ડ એરિયાના કમાન્ડર
-રાજ્યોના મુખ્ય સચિવો
-રાજ્યોની વિધાનસભાઓ/રાજ્યોની વિધાનસભા પરિષદોના સચિવો
આ પણ વાંચોઃ અંગ્રેજોનો 'ગુલામ' છે આ રેલવે ટ્રેક! દર વર્ષે રોયલ્ટીના રૂપમાં રેલવે ભરે છે કરોડો
પોલીસને પણ છૂટ
- રક્ષા મંત્રાલયના અધિકારીઓ યુનિફોર્મમાં ફરજ પર જતા અને પરત આવતા
-પોલીસ વિભાગના અધિકારીઓ યુનિફોર્મમાં ફરજ પર જતા અને પરત આવતા
ઈમરજન્સી સેવાઓ
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, શબવાહિનીને પણ છૂટ મળે છે. આ સિવાય મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોને પણ ટોલ આપવાથી છૂટ મળેલી છે.
ટૂ-વ્હીલર વાહનોને પણ કરની યાદીમાં છૂટ આપવામાં આવી છે. તેથી રોડનો ઉપયોગ કરનાર કોઈ ટૂ-વ્હીલર વાહને બૂથ પાર કરવા પર કોઈ શુલ્ક આપવાનો હોતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે