Home> India
Advertisement
Prev
Next

આ ગામના કબૂતરો છે કરોડપતિ!  27 દુકાનો, 126 વીઘા જમીન અને 30 લાખ રૂપિયાના માલિક

માણસો તો તમે લાખોપતિ અને કરોડપતિ ઘણાં જોયા હશે, પણ શું તમે કરોડપતિ પક્ષીઓ જોયા છે. એક એવું ગામ જ્યાં કરોડપતિ કબૂતરો રહે છે. જાણો આ રોચક કહાની...

આ ગામના કબૂતરો છે કરોડપતિ!  27 દુકાનો, 126 વીઘા જમીન અને 30 લાખ રૂપિયાના માલિક

નવી દિલ્લીઃ ઘણા લોકો પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. કરોડપતિ બનવા માટે લોકો દિવસ-રાત મહેનત કરીને પૈસા કમાય છે. પરંતુ તમે ક્યારેય પક્ષીઓના નામે કરોડોની સંપત્તિ સાંભળી નથી. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કરોડપતિ કબૂતરો રહે છે. આ ગામના કબૂતરો પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, જેમાં દુકાનો, અનેક વીઘા જમીન અને રોકડ રકમ છે. ચાલો આ ખાસ ગામ અને કબૂતરો વિશે જણાવીએ.

fallbacks

કબૂતરોના નામે છે 27 દુકાનો અને 126 વીઘા જમીન-
અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં છપાયેલા સમાચાર મુજબ આ ગામ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલું છે. આ ગામનું નામ જસનગર છે. કબૂતરોના નામે 27 દુકાનો, 126 વીઘા જમીન અને બેંક ખાતામાં લગભગ 30 લાખ રૂપિયા રોકડા છે. એટલું જ નહીં, આ કબૂતરોની 10 વીઘા જમીનમાં 470 ગૌશાળા પણ ચલાવવામાં આવી રહી છે.

40 વર્ષ પહેલા શરૂ થયું હતું ટ્રસ્ટ-
તમને જણાવી દઈએ કે 40 વર્ષ પહેલા ગામના પૂર્વ સરપંચ રામદિન ચોટીયાની સૂચનાથી અને તેમના ગુરુ મરુધર કેસરી પાસેથી પ્રેરણા લઈને ગામના ગ્રામજનોના સહયોગથી પરપ્રાંતીય ઉદ્યોગપતિ સ્વર્ગીય સજ્જનરાજ જૈન અને પ્રભુસિંહ રાજપુરોહિતે સ્થાપના કરી હતી. ભામાશાહોએ કબૂતરોના સંરક્ષણ માટે અને નિયમિત દાણાપાણીની વ્યવસ્થા માટે ટ્રસ્ટના માધ્યમથી નગરમાં 27 દુકાનો બનાવી અને તેમના નામે કરી દીધી. હવે આ કમાણીથી ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી દરરોજ 3 બોરી અનાજ આપી રહ્યું છે.

470 ગાયોની થાય છે સેવા-
કબૂતરાન ટ્રસ્ટ દ્વારા દરરોજ લગભગ ચાર હજાર રૂપિયાથી લઈને 3 બોરી ડાંગરની વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં જરૂર પડ્યે 470 ગાયો માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. દુકાનોમાંથી ભાડા સ્વરૂપે કુલ માસિક 80 હજાર જેટલી આવક થાય છે. લગભગ 126 વીઘા ખેતીની જમીનની સ્થાવર મિલકત છે. કમાણીમાંથી કબૂતરોના સંરક્ષણમાં ખર્ચ થયા બાદની બચત ગામની જ બેંકમાં જમા થાય છે, જે આજે 30 લાખની આસપાસ છે.

લોકોના દાનથી ચાલે છે ટ્રસ્ટ-
કબૂતરાન ટ્રસ્ટના સેક્રેટરી પ્રભુસિંહ રાજપુરોહિતના જણાવ્યા અનુસાર લોકો જસનગરના કબૂતરો માટે પણ દાન આપે છે. અમને દર મહિને ઘણા લોકો પાસેથી દાન મળે છે. કબૂતરો માટે ખોલવામાં આવેલી 27 દુકાનોની વાર્ષિક આવક રૂ. 9 લાખ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More