LPG Gas shortage: ભારતથી 3000 કિલોમીટર દૂર યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ઘૂસી ગયું છે. અમેરિકાએ આગમાં ધી હોમવાનું કામ કર્યું છે, જેના પછી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ગોળીબાર અને બોમ્બમારા પછી, હવે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી છે. જો આ માર્ગ બંધ કરવામાં આવે છે, તો તેલ અને ગેસ પુરવઠાનું સંકટ નિશ્ચિત છે. વિશ્વમાં 20 ટકા તેલ પુરવઠાની આયાત અને નિકાસ આ માર્ગ દ્વારા થાય છે. આ બધી ઉત્સુકતા વચ્ચે, ભારત પર LPG સિલિન્ડરના પુરવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે.
માત્ર 16 દિવસનો સ્કોટ બચ્યો
મિડલ ઈસ્ટ ટેન્શનમાં ભારતમાં એલપીજી સિલિન્ડરનું સંકટ પેદા થયું છે. ભારતમાં ઉપયોગ થનાર ત્રણમાં બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. જો યુદ્ધ યથાવત રહ્યું અને સપ્લાય ચેનમાં મુશ્કેલી પડી તો ભારતીયોના રસોડા સુધી આ સંકટ પહોંચી શકે છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે LPG સૌથી વધુ સંવેદનશીલ બન્યું છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ભારત પાસે ફક્ત 16 દિવસનો LPG સ્ટોક બાકી છે. ETના અહેવાલ મુજબ, જો આપણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો, ભારત પાસે આયાત ટર્મિનલ, રિફાઇનરીઓ અને બોટલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતો LPG દેશના સરેરાશ વપરાશ મુજબ ફક્ત 16 દિવસ જ ચાલશે. ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાથી વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક ક્ષેત્રમાંથી પુરવઠામાં વિક્ષેપ પડવાનું જોખમ વધ્યું છે.
આ પણ વાંચોઃ નવરત્ન સ્ટોકે કર્યા માલામાલ, બોનસ શેરના દમ પર 1 લાખના બનાવી દીધા 1.25 કરોડ રૂપિયા
ભારતમાં LPG નો કેટલો વપરાશ
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, કાચા તેલના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ સૌથી મોટું સંકટ LPG ગેસના પુરવઠાને લગતું છે. જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ રહે તો તેલ અને રસોઈ ગેસનો પુરવઠો બંધ થઈ શકે છે. ભારતમાં LPGનો વપરાશ ઝડપથી વધ્યો છે. ઉજ્જવલા યોજના હોય કે ગેસ સબસિડી, ભારતમાં LPG ગેસનો વપરાશ છેલ્લા દાયકામાં બમણો થયો છે. ભારતમાં 33 કરોડ લોકો LPG સિલિન્ડરનો ઉપયોગ કરે છે. ભારત તેના વપરાશના 66 ટકા વિદેશથી આયાત કરે છે. કુલ આયાતના 95 ટકા સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાત જેવા પશ્ચિમી દેશોમાંથી આવે છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે, ગેસ પુરવઠા પર સંકટ છે.
શું થશે જો ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ન ટળે તો
ગેસના મુકાબલે પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સારી છે. પેટ્રોલ-ડીઝલના મામલામાં ભારતની સ્થિતિ ચિંતાજનક નથી, કારણ કે ભારત પેટ્રોલના પોતાના ઘરેલું વપરાશના લગભગ 40 ટકા અને ડીઝલનું 30 ટકા નિકાસ કરે છે. જરૂર પડી તો નિકાસને રોકી દેશની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. પરંતુ એલપીજીની સ્થિતિ થોડી અલગ છે. જો સંકટ ન ટળ્યું તો ભારત અમેરિકા, યુરોપ, મલેશિયા અને આફ્રિકાના કેટલાક દેશોથી એલપીજીના વૈકલ્પિક સ્ત્રોતનો આયાત કરી જરૂરિયાત પૂરી કરી શકે છે. પરંતુ આ એટલું સરળ નથી. પીએનજી સપ્લાયને પાઇપલાઇન દ્વારા 1.5 કરોડ સુધી તો પહોંચાડી શકાય છે. પરંતુ 33 કરોડ એલપીજી કનેક્શનોને ગેસ સપ્લાય કરવો સરળ નથી. તેવામાં લોકોએ એલપીજીના વિકલ્પ વિશે વિચારવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે