Home> India
Advertisement
Prev
Next

India Pakistan Latest Update: 8મી મેના રોજ ભારતે મચાવ્યો મિસાઈલોથી કોહરામ, હવે 9મીએ સવારે કરી વોટરસ્ટ્રાઈક

India Pakistan War: પાકિસ્તાને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક આતંકી હુમલો તેને આ હદે નુકસાન પહોંચાડી શકશે. ભારત જે રીતે પાકિસ્તાનના હાડકાં ખોખરા કરી રહ્યું છે તેનાથી પાકિસ્તાન સ્તબ્ધ છે. હવે ભારતે ચિનાબ નદી પર બનેલા બંધના 3 ગેટ ખોલ્યા છે. 

India Pakistan Latest Update: 8મી મેના રોજ ભારતે મચાવ્યો મિસાઈલોથી કોહરામ, હવે 9મીએ સવારે કરી વોટરસ્ટ્રાઈક

ભારતે ચિનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ બંધના 3 દરવાજા ખોલી નાખ્યા છે. અત્યાર સુધી આ બંધને બંધ કરીને પાકિસ્તાન તરફ જતા પાણીને રોકવામાં આવ્યું હતું. આ પગલું ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ઉઠાવ્યું હતું. હવે ફરીથી સલાલ ડેમના ગેટ  ખોલ્યા બાદ પીઓકેમાં પૂર આવવાની સંભાવના વધી છે. 

fallbacks

8મી મેના રોજ મચાવ્યું તાંડવ
પાકિસ્તાનમાં ભારતના ભીષણ હુમલાથી વિશ્વભરમાં સનસની મચી છે. 8મી મેના રોજ જે પ્રકારે ભારતે જવાબી કાર્યવાહીમાં કોહરામ મચાવ્યો ત્યારબાદ જિન્નાનો દેશ ડરેલો છે. તેના અનેક શહેરોમાં અફરાતફરી જેવો માહોલ છે. ત્યારબાદ સવારે ભારતે ચિનાબ નદી પર બનેલો રિયાસીના સલાલ  બંધના 3 ગેટ ખોલી નાખ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાન જતુ પાણી રોકવામાં આવ્યું હતું. અત્રે જણાવવાનું કે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરી છે. હવે ફરીથી સલાલ ડેમના ગેટ ખોલ્યા બાદ પીઓકેમાં પૂરની સંભાવના વધી છે. 

બગલિહાર ડેમનો ગેટ પણ ખોલાયો
પાકિસ્તાન પર હવે પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. બીજી બાજુ ભારતે રામબનના બગલિહાર ડેમા દરવાજા પણ ભારત ગમે ત્યારે ખોલ બંધ કરી રહ્યું છે. ભારતે સ્પષ્ટ કરેલું છે કે જળ સંધિ રદ થઈ ગઈ છે. આ કારણ હવે એ ભારત પર નિર્ભર છે કે તે કેટલું પાણી છોડે છે. 

પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પૂરનું જોખમ
તેનાથી પાકિસ્તાનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થશે અને પાકિસ્તાન ભારતને એ પણ નહીં કહી શકે કે તમે પાણી કેમ છોડ્યું. તેનાથી હવે પાકિસ્તાનના લોકોની મુશ્કેલીઓ વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More