Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, એક દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 41,18,46,401 ડોઝ અપાયા છે. 

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, એક દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: ભારતમાં આજે કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 30 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 374 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

fallbacks

નવા 30 હજાર જેટલા કેસ
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,11,74,322 થયો છે. જ્યારે એક દિવસમાં 45,254 દર્દી રિકવર થયા છે. અત્યાર સુધીમાં 3,03,53,710 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશભરમાં 4,06,130 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે કોરોનાના 38,164 નવા કેસ નોંધાયા હતા. 

મૃત્યુઆંકમાં પણ ઘટાડો
છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કારણે 374 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,14,482 થયો છે. ગઈ કાલે એક દિવસમાં 499 મૃત્યુ નોંધાયા હતા. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 41,18,46,401 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More