Home> India
Advertisement
Prev
Next

Corona Update: કેમ ઘટતા નથી કોરોનાના કેસ? છેલ્લા 24 કલાકમાં આટલા નવા દર્દીઓ નોંધાયા

દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.

Corona Update: કેમ ઘટતા નથી કોરોનાના કેસ? છેલ્લા 24 કલાકમાં આટલા નવા દર્દીઓ નોંધાયા

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 295 લોકોએ વાયરસથી જીવ ગુમાવ્યા છે. 

fallbacks

એક દિવસમાં નવા 30 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 30,256 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 33,478,419 પર પહોંચી છે. ગઈ કાલે 30,773 નવા દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 3,18,181 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 43,938 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,27,15,105 થઈ છે. 

એક દિવસમાં કોરોનાથી 295 દર્દીના મોત
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 295 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં થયેલા મૃત્યુની સંખ્યા 4,45,133 થઈ છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 80,85,68,144 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 37,78,296 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

કેરળમાં નોંધાયા આટલા કેસ
નવા જે 30,256 કેસ નોંધાયા છે તેમાંથી કેરળમાં 19,653 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 152 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More