Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 5 રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર, જાણો લેટેસ્ટ માહિતી

દેશમાં રાહતના સમાચાર આવી  રહ્યા છે. કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,791 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 75,97,064 પર પહોંચ્યો છે.

Corona Update: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 5 રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર, જાણો લેટેસ્ટ માહિતી

નવી દિલ્હી: દેશમાં રાહતના સમાચાર આવી  રહ્યા છે. કોરોનાના કેસ (Corona Virus cases)  સતત ઘટી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,791 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 75,97,064 પર પહોંચ્યો છે. જેમાંથી 7,48,538 એક્ટિવ કેસ છે. જ્યારે 67,33,329 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. એક જ દિવસમાં 587 દર્દીઓએ જીવ ગુમાવ્યાં. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,15,197 પર પહોંચ્યો છે. 

fallbacks

દેશમાં ફરીથી લાગશે લોકડાઉન? અમિત શાહે આપ્યો આ જવાબ

5 સૌથી પ્રભાવિત રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાથી જે સૌથી વધુ પ્રભાવિત છે તેવા પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાંથી સારા સમાચાર આવ્યા છે. આ રાજ્યોમાંથી રોજેરોજ આવતા કેસનો ટ્રેન્ડ જોઈએ તો ખબર પડે છે કે એક્ટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે. જે ભારતમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો દર્શાવે છે. કારણ કે સતત 3 દિવસથી એક્ટિવ કેસ 8 લાખથી નીચે છે. 

કેટલાક રાજ્યોના અમુક જિલ્લાઓમાં સામુદાયિક સંક્રમણ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને (Dr Harshvardhan,) રવિવારે કહ્યું કે કોરોના વાયરસ (Corona Virus) નું સામુદાયિક સ્તરે સંક્રમણ (Community Transmission) કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સિમિત છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું નથી. હર્ષવર્ધને સંડે સંવાદના છઠ્ઠા એપિસોડમાં પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે વાતચીતમાં આ વાત કરી. તેઓ એક પ્રતિભાગીના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદનનો ઉલ્લેખ કર્યો કે તેમના રાજ્યમાં સામુદાયિક સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે, "પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના વિભિન્ન ભાગમાં અને ખાસ કરીને ગાઢ વસ્તીવાળા વિસ્તારોમાં કોવિડ-19નું સામુદાયિક સંક્રમણ થઈ શકે છે."

ફેબ્રુઆરી 2021 સુધી ભારતની ઓછામાં ઓછી અડધી વસ્તી આવી શકે છે કોરોનાની ઝપેટમાંઃ સરકારી પેનલ

તેમણે કહ્યું કે જો કે, "દેશભરમાં આવું થઈ રહ્યું નથી. સામુદાયિક સંક્રમણ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓ સુધી સિમિત છે." કેન્દ્ર સરકારે હજુ સુધી દેશમાં કોરોના વાયસના સામુદાયિક સંક્રમણની વાતનો ઈન્કાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સામુદાયિક સંક્રમણની કોઈ વ્યાખ્યા આપી નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More