Home> India
Advertisement
Prev
Next

કરતારપુર કોરિડોરઃ ભારત 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે કરશે કરાર

કરાર કરવા માટે તૈયાર થયા બાદ પણ ભારતે પાકિસ્તાનને ફરીથી શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. ભારત કોઈ પણ સમયે કરારનું સ્વરૂપ બદલવા માટે તૈયાર છે.

કરતારપુર કોરિડોરઃ ભારત 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે કરશે કરાર

નવી દિલ્હીઃ સિખ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર 23 ઓક્ટોબરના રોજ કરતારપુર સાહિબ કોરિડોર અંગેનો કરાર કરવા માટે તૈયાર થઈ ગયું છે. જોકે, સિખ શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલરની ફી લેવાની પાકિસ્તાને જીદ્દ પકડી રાખી છે. એટલે કદાચ ફીનો મુદ્દો કરારમાં સમાવિષ્ટ નહીં હોય. 

fallbacks

કરાર કરવા માટે તૈયાર થયા બાદ પણ ભારતે પાકિસ્તાનને ફરીથી શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. ભારત કોઈ પણ સમયે કરારનું સ્વરૂપ બદલવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપુર માટે રવિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની હતી, પરંતુ પાકિસ્તાન દ્વારા પ્રતિ મુસાફર 20 ડોલરની ફી વસુલવાની જીદ્દ પર અડેલું હતું. 

ભારતે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ પાકિસ્તાન ટસનું મસ થતું નથી. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાન દ્વારા લેવામાં આવતી 20 ડોલરની ફીને 'જઝિયા કર' નામ આપ્યું છે અને સાથે જ આ ફીમાં ઘટાડો કરવાની માગણી કરી છે. 

જુઓ LIVE TV...

ભારતના વધુ બે સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More