Home> India
Advertisement
Prev
Next

India Largest Railway Junction: ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન, જ્યાંથી તમને દેશના દરેક ખૂણા માટે મળી જશે ટ્રેન

Largest Railway Junction: શું તમે જાણો છો કે દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન ક્યાં છે? આ એક એવું રેલવે જંકશન છે, જ્યાં 24 કલાક ટ્રેનોની અવરજવર ચાલુ રહે છે. આ જંક્શનમાં દેશનો અમૂલ્ય ઈતિહાસ પણ સમાયેલો છે.

India Largest Railway Junction: ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન, જ્યાંથી તમને દેશના દરેક ખૂણા માટે મળી જશે ટ્રેન

Largest Railway Junction in India: ભારતીય રેલ્વેએ વિશ્વના 5 સૌથી મોટા રેલ્વે નેટવર્કમાંનું એક છે. તમે તેના વિશે જેટલું જાણશો તેટલું જ તમને ગર્વ થશે. આજે અમે તમને ભારતના સૌથી મોટા રેલવે જંક્શન વિશે જણાવીશું, જે ક્યારેય ખાલી નથી રહેતું. અહીં 24 કલાક ટ્રેનોની અવરજવર રહે છે. ભારતના કોઈપણ ખૂણે જવા માટે તમે આ જંકશનથી ટ્રેન પકડી શકો છો. આવો જાણીએ આ જંક્શન ક્યાં છે અને તેની વિશેષતા શું છે.

fallbacks

દેશનું સૌથી મોટું મથુરા રેલ્વે જંકશન
આ દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન છે, મથુરા રેલ્વે જંકશન યુપીના મથુરા જિલ્લામાં છે. આ જંકશન ઉત્તર મધ્ય રેલવે હેઠળ આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓ માટે 7 જુદા જુદા રૂટની ટ્રેનો આ જંકશન પરથી પસાર થાય છે. આ સ્ટેશન પર કુલ 10 પ્લેટફોર્મ છે, જેના પર દરેક સમયે ટ્રેનોની અવરજવર રહે છે.

આ પણ વાંચો:
શું ખરેખર પનોતી છે આ 5 સ્ટાર કિડ્સ? તેઓ જે ફિલ્મમાં હોય છે તે જાય છે ફ્લોપ
ભુક્કા કાઢી નાખ્યા આ કારે, 1 લાખ લોકોનું કાર માટે વેઈટિંગ, આપે છે 26KMની માઈલેજ
અનન્યા પાંડેએ હોટ લુક્સથી મચાવી તબાહી, આ તસવીરો જોઈને લોકો થયા બેકાબૂ

ટ્રેનો સતત પસાર થતી રહે છે
તમે આ જંક્શન (મથુરા રેલ્વે જંક્શન) પર દિવસ કે રાત ગમે ત્યારે આવી શકો છો. અહીંથી તમને સતત સેંકડો ટ્રેનો પસાર થતી જોવા મળશે. દેશના કોઈપણ ખૂણે જવા માટે તમે અહીંથી ટ્રેન પકડી શકો છો. આ જંક્શન પર 1875માં પ્રથમ વખત ટ્રેન દોડાવવામાં આવી હતી. 

સ્વચ્છતા વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જંક્શન (મથુરા રેલવે જંક્શન) દેશના 100 રેલવે સ્ટેશનોમાંથી એક છે જ્યાં સૌથી વધુ બુકિંગ થાય છે. આ સિદ્ધિ છતાં, જંકશન પર સ્વચ્છતાનો અભાવ રેલ્વે માટે મોટી સમસ્યા છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ના 2018ના અહેવાલ મુજબ, સર્વેક્ષણ કરાયેલા 75 મોટા સ્ટેશનોમાં આ સ્ટેશનને સૌથી ઓછું સ્વચ્છ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાં સતત સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:
Chhipkali upay: ગરોળીના ત્રાસથી પરેશાન છો! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય
Teacher Job Eligibility: શિક્ષક બનવા માટે બદલાઈ ગયા છે નિયમો, હવે આ ભણતર જ આવશે કામ
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More