નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ શુક્રવારે કહ્યું કે તેને સ્વદેશ નિર્મિત ઉન્નત ટોર્પીડો મિસાઇલ 'મારીચ'ને પોતાના બેડામાં સામેલ કરી દીધી છે જે અગ્રિમ મોરચાના તમામ યુદ્ધપોતો કામથી તાકી શકાય છે. આ મિસાઇલ સિસ્ટમ કોઇપણ ટોર્પીડો હુમલાને નિષ્ફળ કરવામાં નૌસેનાની મદદ કરશે. રક્ષા કરાર તથા વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત 'મારીચ' સિસ્ટમ હુમલાવર ટોર્પીડોને શોધવા, તેને ભ્રમિત કરવા અને નષ્ટ કરવામાં સક્ષમ છે.
નૌસેનાએ કહ્યું કે ''નિર્દિષ્ટ નૈસેન્ય મંચ પર લાગેલી આ સિસ્ટમના પ્રતિરૂપ તમામ પ્રાયોગિક મૂલ્યાંકન ટેસ્ટ સફળતાપૂર્વક પુરા કરી લીધા હતા અને નોસૈન્ય સ્ટાફ માનદંડ જરૂરિયાતોને અનુરૂપ તમામ વિશેષતા પ્રદર્શનો પર આ ખરી ઉતરી હતી.
નૌસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'મારીચ'ને સામેલ કરવી સ્વદેશી બચાવ ટેક્નિકના વિકાસની દિશામાં ન ફક્ત નૌસેના અને ડીઆરડીઓના સંયુક્ત સંકલ્પનું સાક્ષ્ય છે, પરંતુ આ સરકારની 'મેક ઇન ઇન્ડીયા' પહેલ તથા ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવાના દેશના સંકલ્પની દિશામાં એક મોટું પગલું છે.
નૈસેનાએ કહ્યું કે રક્ષા ઉપક્રમ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા મિસાઇલનું ઉત્પાદન કરવામાં આવશે. ટોચની તમામ ટેન્કો વડે દાગવામાં સક્ષમ ટોર્પીડો મિસાઇલ મારીચ માટે એક કરાર પર હોંચવાની સાથે આજે ભારતીય નૌસેનાને સબમરીન યુદ્ધ ક્ષમતામં મજબૂતી પ્રાપ્ત કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે