Jammu-Kashmir Full Statehood: સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35A દૂર કરી હતી, જેને 6 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન, દરેક જગ્યાએ ચર્ચા છે કે 5 ઓગસ્ટના રોજ ફરી એકવાર કંઈક મોટું થવાનું છે. હકીકતમાં, રવિવારે (3 ઓગસ્ટ) ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને ત્યારબાદ થોડા સમય પછી ગૃહમંત્રી અમિત શાહ પણ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા. આ પછી, 4 ઓગસ્ટના રોજ દિવસભર બેઠકોનો દોર ચાલુ રહ્યો, ત્યારબાદ ચર્ચા તેજ થઈ કે સરકાર 5 ઓગસ્ટ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકે છે. પરંતુ હવે અંદરની વાત સામે આવી છે.
શું સરકાર જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા જઈ રહી છે?
હવે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદમાં બિલ લાવવા અંગે નવી માહિતી બહાર આવી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારની આવી કોઈ યોજના નથી. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સરકારની હાલમાં જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની કોઈ યોજના નથી. હાલમાં, સંસદમાં બિલ લાવવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
પીએમ મોદી આજે એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે
આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે, જે સંસદના ચાલી રહેલાં ચોમાસું સત્ર દરમિયાન આ પ્રકારની પ્રથમ બેઠક હશે. સંસદ પરિસરમાં આયોજીત આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ અને તેના સઠબંધનના સહયાગી બધા સાંસદો ભાગ લેશે. બધા એનડીએ સાંસદોએ ફરજીયાત હાજર રહેવાનું છે. એનડીએ સંસદીય દળની બેઠક મહત્વપૂર્ણ સમયે થવા જઈ રહી છે, જે 7 ઓગસ્ટથી શરૂ થનાર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થવાના બે દિવસ પહેલા યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે