Home> India
Advertisement
Prev
Next

ચંદ્રયાન મિશન 2.0 તડામાર તૈયારી: બાહુબલી નિભાવશે મહત્વની જવાબદારી

ચંદ્રના પહેલા મિશન દરમિયાન જ્યારે રોકેટને ઇંધણ આપતા સમયે ઇંધણ લીક થયું ત્યારે સિવને જ ગણત્રી કરીને તેને બેલેન્સ કર્યું હતું

ચંદ્રયાન મિશન 2.0 તડામાર તૈયારી: બાહુબલી નિભાવશે મહત્વની જવાબદારી

ચેન્નાઇ : ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ હવે મિશન 2.0 મોડ પર છે, જેમાં માનવ અંતરિક્ષ મિશન, અંતરગ્રહીય મિશન, અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવા અને એટલે સુધી કે અન્ય દેશોની સાથે પ્રતિસ્પર્ધામાં જોડાવાનો પ્રયાસ કરવો પ્રાસંગિક છે. ભારતીય અંતરિક્ષ એજન્સીનાં એક ટોપના અધિકારીએ આ વાત કરી હતી. ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (ઇસરો) નાં 62 વર્ષીય અધ્યક્ષ કૈલાસાદિવુ સિવન શાંત સ્વભાવના વ્યક્તિ છે. આંધ્ર પ્રદેશના રોકેટ પોર્ટ શ્રીહરિકોટામાં ઇસરોનાં બીજા ચંદ્ર અભિયાન ચંદ્રયાન-2 ની પ્રાપ્તી માટે હાલ ગતિવિધિ જોરશોરથી ચાલી રહી છે. ભારે લિફ્ટ રોકેટને બાહુબલીનું ઉપમાન આપતા સિવન કહે છે કે તેઓ શાંત છે. 

fallbacks

ઉન્નાવ મદરેસાના વિદ્યાર્થીઓ સાથે મારપીટને પરાણે અપાયો ધાર્મિક રંગ, તપાસમાં થયો ઘટસ્ફોટ !
સિવને આઇએએનએસમાં કહ્યું કે, હું તણાવમાં નથી, મારા પરિવારજનોએ પણ મને કોઇ પરિવર્તન નથી જોયું. જો કે દરેક વ્યક્તિ જાણે છે કે ચંદ્રયાન-2ને લોંચ કરવામાં આવે તે કેટલું મહત્વપુર્ણ છે અને તે મુદ્દે મારા પરિવારનાં સભ્યોમાં પણ ચિંતા છે. પહેલા ચંદ્રમા મિશન, ચંદ્રયાન-1 દરમિયાન પણ રોકેટને ઇંધણ આપતા તેમાં લિકેજ થયું હતું, તે સિવન જ હતા જેમણે ગણના કરી, સંભવિત ગિરાવટની ભવિષ્યવાણી કરી અને ગેરેન્ટી આપી કે એક સફળ મિશન માટે પુરતુ માર્જિન છે. સિવન તે સમયે વિક્રમ સારાભાઇ સ્પેસ સેંટર (વીએસએસસી)માં ગ્રુપ ડાયરેક્ટર અને માર્ગદર્શન તથા મિશન સિમુલેશનનું પદ સંભાળી રહ્યા હતા. 

ભાજપ નેતાનો દાવો, કોંગ્રેસ-સીપીએમ-ટીએમસીના 107 ધારાસભ્યો જોડાવા તૈયાર

પંજાબના CM અમરિંદરસિંહની પત્ની પરનીત કૌર સફાઇ અભિયાન દરમિયાન બેહોશ !
ઉતાવળ સાથે ચંદ્રમા પર ઉતરવા, માનવ અંતરિક્ષ મિશનની તૈયારી અને અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવા અંગે એવી ભયંકર ગતિવિધિઓની જાહેરાત કરી, શું ઇસરો અમેરિકા, રશિયા, ચીન અને અન્ય દેશો સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યું છે. તેનાં જવાબમાંસિવને કહ્યું કે, આ તમામ વર્ષોમાં અમે વિક્રમ સારાભાઇના સ્વપ્નને પુર્ણ કરવા માટે કામ કર્યું છે. તેમનું માનવું હતું કે અંતરિક્ષમાં ભારતનો વિકાસ થાય તે જરૂરી છે. આ ટેક્નોલોજીથી સામાન્ય માણસને પણ ઘણો ફાયદો મળશે. 

લદ્દાખનાં ડેમચોક વિસ્તારમાં નથી થઇ કોઇ પણ પ્રકારની ઘુસણખોરી: આર્મી ચીફ
દેશે પોતાનાં રોક્ટ અને ઉપગ્રહોના નિર્માણની ક્ષમતા વિકસિત કરી છે  અને સંચાર, વાતાવરણ પૂર્વાનુમાન જેવી અનેક સેવાઓ હાલ આપણે મેળવી રહ્યા છીએ. સીવને ટીપ્પણી કરી કે હવે વિક્રમ સારાભાઇએ ઉગાડેલ વૃક્ષમાં ઉગી રહેલા ફળ લણવાનો સમય આવ્યો છે. સાથે સાથે આપણે પણ એવા કેટલાક બીજ ઉગાડવાનાં છે જે આગામી પેઢીને પણ ફળ મળતા રહે. આ વિઝન મિશન 2.0 છે અને અમે અંતરિક્ષનાં ક્ષેત્રમાં અન્ય દેશોની સાથે પ્રતિસ્પર્ધામાં જોડાવાનું છે. ચંદ્રયાન-2 મિશનશી લાભ પર, સિવને કહ્યું કે, લેંડર-વિક્રમ અને રોવર પ્રજ્ઞાન માટેની ટેક્નોલોજી નવી છે. થ્રોટેબલ એન્જિન પણ નવા છે. 

fallbacks

કર્ણાટકનાં 5 MLA સુપ્રીમના શરણે, વારંવાર ધમકીઓ મળી રહી હોવાનો દાવો
સિવને જણાવ્યું કે, વાતાવરણ નહી હોવાના કારણે વિક્રમની લેન્ડિંગ વેરિએબલ બ્રેકિંગ દ્વારા કરવામાં આવશે. અમે ચંદ્રયાન-2 મિશનમાં અનેક સેંસરનો પણ ઉપયોગ કર્યો છે. નિયંત્રણ, નેવિગેશન ટેક્નોલોજી પણ નવી છે. વિજ્ઞાનનાં મોર્ચા પર પ્રત્રાન દ્વારા ચંદ્રમા પર આ સીટૂ પ્રયોગ કરવો પણ ભારત માટે એક નવી ટેક્નોલોજી છે. 

Video: હેમા માલિનીએ સંસદમાં ઝાડું વાળ્યું, સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું-'આમને ટાંગો ચલાવવા દો'
ભારતનું સૌથી શક્તિશાળી લોન્ચર ચંદ્રયાન-2ને ચંદ્ર પર લઇ જશે
ભારતનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચર જિયોસિંક્રોનસ સેટેલાઇન્ટ લોન્ચિંગ વ્હીકલ માર્ક-3 (GSLV MK-3) 15 જુલાઇએ ચંદ્રયાન 2ને પોતાનાં ચંદ્રમા મિશન પર લઇ જશે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો)ના અનુસાર આ ઉપગ્રહને ચાર ટન વર્ગને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ) માં લોન્ચ કરવા સક્ષમ છે. જીએસએલવી એમકે-3 નું ઉપનામ બાહુબલી છે. જેને 15 જુલાઇએ સવારે 2.51 વાગ્યે શ્રીહરીકોટાનાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 3.8 ટન ચંદ્રયાન-2 સાથે લોન્ચ કરવામાં આવશે. 

કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી
પોતાની ઉડ્યનનાં લગભગ 16 મિનિટ બાદ 375 કરોડ રૂપિયાનું જીએસએલવી માર્ક-3 રોકેટ ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને કક્ષામાં પહોચાડશે. જ્યાં ઇસરોનાં અધિકારી 640 ટનવાળા જીએસએલવી માર્ક-3 રોકેટને મોટા લડકા કહે છે. જ્યારે તેલુગુ મીડિયા તેને બાહુબલીનું નામ આપી ચુક્યું છે. જે બાહુબલી ફિલ્મના આધારે અપાયું છે. 

J&K: ભાગલાવાદીઓના કારણે અમરનાથ યાત્રા સ્થગિત, જમ્મુથી રવાના ન થઈ શક્યા શિવભક્તો 
પૃથ્વીની 170*40400 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે
ઇસરો અનુસાર ચંદ્રયાન-2ને પૃથ્વીની 170 ગુણ્યા 40400 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. તેને એક પૃથ્વી પાર્કિંગમાં 170*40400 કિલોમીટર કક્ષામાં ઇંજેક્ટ કરવામાં આવશે. યુક્તિચાલનની એક શ્રૃંખલામાં ચંદ્રયાન-2ને પોતાની કક્ષામાં ઉપર ઉઠાવવા અે ચંદ્ર સ્થાનાંતરણ પ્રક્ષેપવક્ર પર મુકવામાં આવશે. 

કોંગ્રેસને 'ઉગારવા' સુબ્રમણ્યમ સ્વામીએ આપી સલાહ, આ મહિલા નેતાને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ
ચંદ્રમાના પ્રભાવથી ક્ષેત્રમાં પ્રવેશ કરવા, ઓન બોર્ડ થ્રસ્ટર્સ લુનાર કેપ્ચર માટે અંતરિક્ષ યાનને ધીમી કરી દેશે. ચંદ્રમાનાં ચારેય ચંદ્રયાન-2ની કક્ષામાં કક્ષીય યુક્તિચાલનની એક શ્રૃંખલાના માધ્યમથી 100 ગણુ 100 કિલોમીટરની કક્ષામાં પ્રસારિત કરવામાં આવશે. લેંડર વિક્રમ આખરે 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રમાના દક્ષીણી ધ્રુવની નજીક ઉતરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More
;