નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની પોકળ ધમકી અંગે ભારતીય સેના પ્રમુખે આકરી પ્રતિક્રિયા આપી છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, પાકિસ્તાને સરહદ પર ભલે વધુ સૈનિકો તૈનાત કર્યા હોય પરંતુ અમને કોઇ ફરક પડતો નથી. કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ. સેના પ્રમુખે કહ્યું કે, અમે પાકિસ્તાનની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ.
જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ સર્જાયેલી સ્થિતિ અંગે વાત કરતાં સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, અમે કાશ્મીરના લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે કાશ્મીરના લોકો સાથે બંદૂક વગર મળી રહ્યા છીએ.
કલમ 370 મામલે પાકિસ્તાને પોતાની હાર કબુલી... આ પણ વાંચો
અહીં નોંધનિય છે કે, ગુપ્ત સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાને એલઓસી પર મોટી માત્રામાં તોપો ગોઠવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે