Home> India
Advertisement
Prev
Next

Jammu Kashmir: આતંકીઓએ CRPF ના બંકર પર કર્યો ગ્રેનેડ હુમલો, 3 નાગરિકોને ઈજા

જમ્મુ-કાશ્મીરમાં સુધરતી સ્થિતિ અને સુરક્ષાદળોની કાર્યવાહીથી આતંકીઓ પર દબાવ વધી રહ્યો છે. હવે તે સુરક્ષાદળો પર હુમલો કરી ભાગી જવાની રણનીતિ પર કામ કરી રહ્યાં છે. 

Jammu Kashmir: આતંકીઓએ CRPF ના બંકર પર કર્યો ગ્રેનેડ હુમલો, 3 નાગરિકોને ઈજા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકથી આશરે એક કિલોમીટર દૂર આતંકીઓએ સીઆરપીએફના જવાનોના એક બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો છે. પરંતુ આ આતંકી હુમલામાં સુરક્ષાદળોને કોઈ નુકસાન પહોંચ્યું નથી, પરંતુ ત્રણ સ્થાનીક લોકો ગ્રેનેડ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. 

fallbacks

આ ગ્રેનેડ હુમલા બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી છે અને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. પરંતુ હાલ પોલીસે હુમલાખોરો વિશે કોઈ જાણકારી આપી નથી. 

ઈજાગ્રસ્તોમાં એક મહિલા પણ સામેલ
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી શ્રીનગરની આસપાસ આતંકીઓ ઘટનામાં વધારો થયો છે. હાલમાં બે પોલીસકર્મીની હત્યાની ઘટના પણ સામે આવી હતી. મહત્વનું છે કે આ હુમલો લાલ ચોકથી માત્ર એક કિલોમીટર દૂર થયો છે. તેવામાં સુરક્ષાને લઈને લોકો ચિંતિત છે. 

આ પણ વાંચોઃ શું મહાગઠબંધનમાં સામેલ થશે LJP? ચિરાગે કહ્યુ- તેજસ્વી મારો નાનો ભાઈ

વીકેન્ડ લૉકડાઉનને કારણે ઓછુ નુકસાન
તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણને કારણે વિસ્તારમાં વીકેન્ડ લૉકડાઉન લાગૂ છે. આ કારણે આજે રસ્તા પર ઓછી ભીડ હતી. જેના કારણે વધારે નુકસાન થયું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More