નવી દિલ્હીઃ યૂનેસ્કોએ રવિવારે તેલંગણામાં સ્થિત કાકતીય રૂદ્રેશ્વર (રામપ્પા મંદિર) મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી લીધું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સફળતા પર કહ્યું કે, ઉત્કૃષ્ટ! બધાને શુભેચ્છા, ખાસ કરી તેલંગણાની જનતાને. પ્રતિષ્ઠિત રામપ્પા મંદિર મહાન કાકતીય વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલ્યને પ્રદર્શિત કરે છે. હું તમને બધાને આ રામસી મંદિર પરિસરની યાત્રા કરવા અને તેની ભવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનો આગ્રહ કરીશ.
મહત્વનું છે કે વારંગલ સ્થિત આ શિવ મંદિર એકમાત્ર એવુ મંદિર છે જેનું નામ તેના શિલ્પકાર રામપ્પાના નામ પર રાખવામાં આવ્યું છે. ઈતિહાસ અનુસાર કાકતીય વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરાવ્યું હતું. સૌથી મોટી વાત છે કે તે કાળમાં બનેલા ઘણા મંદિર ખંઢેર સ્થિતિમાં છે, પરંતુ ઘણી આપદાઓ છતાં આ મંદિરને કોઈ નુકસાન પહોંચ્યું નથી. આ મંદિર હજાર સ્તંભથી બનેલું છે.
Excellent! Congratulations to everyone, especially the people of Telangana. The iconic Ramappa Temple showcases outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge you all to visit this majestic Temple complex & get a first-hand experience of its grandness: PM Modi pic.twitter.com/OTQQkyGue9
— ANI (@ANI) July 25, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે