Home> India
Advertisement
Prev
Next

કોમી એક્તાની મિસાલ: મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિર માટે દાન કરી 80 લાખની જમીન

''મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના''  જી હાં Bengaluru ના કડુગોડમાં એક મુસ્લિમ ઉદ્યોગપતિએ આ કહેવતને સાચી પાડી છે. મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિરના નિર્માણ માટે એવું કામ કર્યું છે તેની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. એટલું જ નહીં મંદિરમાં ઉદ્યોગપતિના પોસ્ટર પણ લગાવામાં આવ્યા છે.

કોમી એક્તાની મિસાલ: મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિર માટે દાન કરી 80 લાખની જમીન

ઝી ડેસ્ક, અમદાવાદ: ''મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના''  જી હાં Bengaluru ના કડુગોડમાં એક મુસ્લિમ ઉદ્યોગપતિએ આ કહેવતને સાચી પાડી છે. મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિરના નિર્માણ માટે એવું કામ કર્યું છે તેની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. એટલું જ નહીં મંદિરમાં ઉદ્યોગપતિના પોસ્ટર પણ લગાવામાં આવ્યા છે.

fallbacks

Farmers Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, હવે સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શનની ચીમકી

Bengaluru માં કોમી એકતાનો મિસાલ
આપણે સૌએ કોમી એકતા વિશે ખૂબ વાંચ્યું હશે કેમ કે ભારત વિશ્વને કોમી એકતા અને સર્વધર્મ સમભાવના દર્શન હંમેશા કરાવે છે. કર્ણાટકના બેંગલુરુમાં એક મુસ્લિમ ઉદ્યોગપતિએ કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ રજુ કર્યું છે. જે સાંભળીને તમે કહી ઉઠશો 'સારે જહાઁ સે અચ્છા, હિન્દુસ્તાં હમારા' Bengaluru ના કડુગોડમાં રહેતા એચ.એમજી. બાશા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાલગેરેપુરા વિસ્તારમાં હાઇવે નજીક હનુમાનજીનું મંદિર આવેલું છે. તેને અડીને તેમની પાસે ત્રણ એકર જમીન હતી. મંદિર ટ્રસ્ટ ઘણા સમયથી મંદિરને મોટું કરવાની યોજના બનાવી રહ્યાં હતા પરંતુ ફંડના અભાવને કારણે તેમણે ઘણીવાર આ યોજનાને પડતી મુકી.

Corona Update: દેશમાં સતત 11મા દિવસે 40 હજારથી ઓછા કોરોનાના નવા કેસ

80 લાખની જમીન મંદિર માટે કરી દાન
મંદિરમાં શ્રદ્ધાળુઓને પડી રહેલી મુશ્કેલીને જોતા બાશાએ પોતાની જમીન મંદિરને દાન કરી દીધી. મંદિર ટ્રસ્ટે બાશા પાસેથી લગભગ એક હજાર સ્ક્વેર ફીટ જમીનની માંગ કરી હતી, પરંતુ તેમણે 1600 સ્ક્વેર ફીટ જમીન દાનમાં આપી દીધી. જમીન હાઇવેને અડીને આવેલી હતી જેને કારણે તેની કિંમત 80 લાખ હતી. બાશાની દરિયાદિલી જોઈને સોશિયલ મીડિયામાં તેમની પ્રશંસા થઇ રહી છે. એટલું જ નહીં મંદિરમાં પણ તેમના પોસ્ટર લાગ્યાં છે.

આ રાજ્યમાં હવે રેપ કરનારને થશે મોતની સજા, કેબિનેટે Shakti Act ને આપી મંજૂરી 

મુસ્લિમ ઉદ્યોગપતિએ કેમ દાનમાં આપી જમીન
જમીન દાન કરનાર એમએમજી બાશા કહે છે મેં અનેકવાર મંદિરમાં મહિલાઓને પરિક્રમા કરતી વખતે મુશ્કેલી વેઠતા જોઈ છે. મંદિરના ટ્રસ્ટે જ્યારે મંદિરને મોટું કરવાની યોજના બનાવી ત્યારે મેં મારી જમીનનો એક નાનો હિસ્સો દાન કરવાનો નિર્ણય કર્યો જેથી લોકોને પૂજા કરવામાં કોઇ મુશ્કેલી વેઠવી ના પડે.
 ગુરબત મે હો અગર હમ, રહેતા હૈ દિલ વતન મેં
 સમજો વહી હમે ભી, દિલ હૈ જહાઁ હમારા.. હમારા.. સારે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More