Home> India
Advertisement
Prev
Next

લદ્દાખ હિંસામાં શહીદ જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુ:ખ વ્યક્ત નથી કરી શકાતું

લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે.

લદ્દાખ હિંસામાં શહીદ જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુ:ખ વ્યક્ત નથી કરી શકાતું

નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે.

fallbacks

આ પણ વાંચો:- લોહિયાળ સંઘર્ષ પર વિદેશ મંત્રીનો જવાબ, કહ્યું- ગલવાનમાં જે થયું તે ચીનનું પ્લાનિંગ હતું

અમિત શાહે ટ્વિટ કર્યું- લદ્દાખની ગલવાન ખાડીમાં માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા આપણા બહાદુર સૈનિકોને ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતું. રાષ્ટ્ર આપણા અમર નાયકોને સલામ કરે છે જેમણે ભારતીય ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે બલિદાન આપ્યું છે. તેમની બહાદુરી ભારતની આપણી માતૃભૂમિ પ્રતિ પ્રતિબદ્ધતા દેખાડે છે.

આ પણ વાંચો:- શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષીની દીકરીએ પિતાને આપી શ્રદ્ધાંજલિ, તસવીર જોઈ ભાવુક થયા લોકો

તમને જણાવી દઇએ કે, 15 જૂન સોમવાર રાતે ભારત અને ચીન સૈનિકોની વચ્ચે ગલવાન ખાડીમાં લોહિયાળ સંઘર્ષ થયો. જેમાં ભરાતના 20 સૈનિકો શહીદ થયા છે. ત્યારે ચીનના સૈનિકોના મોતના પણ સમાચાર મળ્યા છે. 1975 બાદ પ્રથમ વખત આ પ્રકારની હિંસક ઘટનાને લઇ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે.

આ પણ વાંચો:- LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ

ગલવાન ખાડીમાં ભારતીય સૈનિકોના શહીદોના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. તેનો મુંહતોડ જવાબ આપવામાં આવશે. ભારત શાંતિ ઇચ્છે છે. આપણે કોઈને ઉશ્કેરતા નથી પરંતુ જવાબ આપણને જવાબ આપતા આવડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More