Home> India
Advertisement
Prev
Next

આજે એક દીવો દેશના વીર જવાનોના નામે પ્રગટાવો, જાણો PM મોદીનો સંદેશ 

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. પોતાના મંગળ સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે તમામ દેશવાસીઓને તહેવારની હાર્દિક મંગળ કામનાઓ. 

આજે એક દીવો દેશના વીર જવાનોના નામે પ્રગટાવો, જાણો PM મોદીનો સંદેશ 

નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. પોતાના મંગળ સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે તમામ દેશવાસીઓને તહેવારની હાર્દિક મંગળ કામનાઓ. 

fallbacks

BJP એ નવા રાજ્ય પ્રભારીઓની યાદી જાહેર કરી, આ ધૂરંધર નેતા સંભાળશે ગુજરાતનો પ્રભાર

પીએમ મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ સરહદવાળી દિવાળીનો સંદેશ આપ્યો હતો. પીએમએ વધુ એક ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને આજે આ પાવન અવસરે પોતાના ઘર અને આસપાસ એક દીવો દેશના બહાદુર જવાનોના નામ પર પ્રગટાવવાની અપીલ કરી છે. 

આ અગાઉ ભગવાન રામની રાજધાની અયોધ્યામાં દીપોત્સવનો અનોખો નજારો જોવા મળ્યો. જ્યાં લગભગ સાડા પાંચ લાખ દીવડાઓની રોશનીથી રામનગરી અયોધ્યા ઝગમગ જોવા મળી. દિવાળીના અસરે આજે પીએમ મોદી દર વખતની જેમ આ વખતે પણ પોતાની દિવાળી જવાનો સાથે ઉજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે જેસલમેર બોર્ડર પર ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી શકે છે. 

અયોધ્યાએ 6 લાખ દીવા પ્રગટાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો CM યોગી આદિત્યનાથે શું કહ્યું

સેના અને એસપીજીએ પ્રવાસની તૈયારીઓ પૂરી કરી
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દર્ મોદી પોતાની દરેક દિવાળી સરહદ પર ડટેલા સૈનિકો સાથે મનાવે છે. આ વખતે પણ તેમનો સૈનિકો સાથે દિવાળી ઉજવવાનો કાર્યક્રમ લગભગ ફાઈનલ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વખતે તેઓ સરહદ પર બનેલી લોંગેવાલા પોસ્ટ પર દિવાળી ઉજવશે. આ માટે સેના અને એસપીજી તરફથી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે. 

દિવાળી 2020: કાળી ચૌદશના દિવસે ભૂલેચૂકે ના કરતા આ 10 કામ, નહીં તો કંગાળ થઈ જશો

સીડીએસ અને આર્મી ચીફ સાથે રહેશે
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીના આ વખતના જેસલમેર પ્રવાસમાં તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પણ સાથે રહેશે. છેલ્લા 7 મહિનાથી લદાખમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવા હાલાત છે આવામાં પીએમ મોદી જેસલમેર પહોંચીને સૈનિકો સાથે દિવાળી ઉજવશે તો જવાનોનો ઉત્સાહ પણ ચોક્કસપણે વધશે. 

Jaisalmer માં જવાનો સાથે પીએમ નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે

લોંગેવાલા યુદ્ધ પર બની હતી બોર્ડર ફિલ્મ
લોંગેવાલા પોસ્ટ એ જ જગ્યા છે જ્યાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે 1065માં ભીષણ યુદ્ધ થયું હતું. તે વખતે પોસ્ટની સુરક્ષામાં તૈનાત પંજાબ રેજિમેન્ટના 120 જવાનોએ પાકિસ્તાનના 3000 જવાનોને મારી ભગાડ્યા હતા. આ ઘટના પરથી સુપરહિટ ફિલ્મ બોર્ડર બની હતી. 

જેસલમેરના પ્રવાસથી ચીન-પાકિસ્તાનને સંદેશ
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીનો આ જેસલમેર પ્રવાસ ખુબ સમજી વિચારીને નક્કી કરાયો છે. આમ કરીને પીએમ મોદી વિસ્તારવાદી ચીન અને આતંકના આકા પાકિસ્તાનને એક સાથે કડક સંદેશ આપશે કે ભારત તેની છીછરી હરકતો સામે ઝૂકશે નહીં અને તે દરેક રીતે તેમને જડબાતોડ જવાબ આપશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More