લખનઉ: લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019)ને લઇને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)એ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનના આ ઘટકદળના ભાગમાં લોકસભાની ત્રણ બેઠક આવી છે. પાર્ટીએ ત્રણે બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત સિંહ મુઝફ્ફરનગરથી ચૂંટણી લડશે. ત્યારે તેમના પુત્ર જયંત ચૌધરીને બાગપતથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મથુરાથી નરેન્દ્ર સિંહના આરએલડીએ ટિકિટ આપી છે.
વધુમાં વાંચો: કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન, ગોવામાં નવા CMના શપથ ગ્રહણ પર ઉઠાવ્યો સવાલ
બે દિવસ પહેલા માયાવતીથી મળ્યા હતા જયંત
સપા-બસપાની સાથે ગઠબંધનમાં સામેલ થયા બાદ આરએલડી ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ શનિવારે બસપા સુપ્રીમો માયાવતી સાતે મુલાકાત કરી હતી. આરએલડી પ્રવક્તા અનિલ દુબેએ કહ્યું કે, જયંત ચૌધરી અને માયાવતીની મુલાકાત બસપા સુપ્રીમોના આવાસ પર થઇ હતી. તે દરમિયાન ચૂંટણીને લઇને વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
દુબેએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ વિશેષકર પશ્ચિમ ઉત્તર પ્રદેશની ચૂંટણી તૈયારીઓ, પ્રચારની રીત અને સંગઠનને મજબૂત કરવા વિશે બંને નેતાઓએ વિસ્તારમાં વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, મુલાકાત દરમિયાન જયંત ચૌધરી અને માયાવતીની સાથે તેઓ સ્વયં, બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા પણ હાજર હતા.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: આ CMએ પ્રશાંક કિશોરને કહ્યાં ‘બિહારી ડાકુ’, JDUના નેતાએ કર્યો વળતો પ્રહાર
ઉલ્લેખનીય છે કે, સપા-બસપા-આરએલડી ગઠબંધનમાં નક્કી ફોર્મૂલા અંતર્ગત રાષ્ટ્રી લોકદળની ત્રણ બેઠક મળી છે. સપા 37 જ્યારે બસપા 38 બેઠક પર ચૂંટણી લડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે