મો ગુફરાન/ પ્રયાગરાજ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ દિલ્હીના નિઝામુદ્દીન મરકઢમાં તબલીગી જમાતને કોરોના સંક્રમણ ફેલાવવાને મોટું કાવતરું ગણાવ્યું છે. મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, તેમાં પાકિસ્તાનનું પણ કાવતરૂ હોઈ શકે છે. પાકિસ્તાન ભારતથી સીધુ યુદ્ધમાં જીતી શકતું નથી, એટલા માટે કેણે અહીં જીહાદિઓને મોકલી કોરોના દ્વારા મોટા ષડયંત્રનો પ્લાન કર્યો છે.
આ પણ વાંચો:- કોરોના વાયરસ: CM કેજરીવાલે કહ્યું- મરકઝના 1810 લોકો કવોરન્ટાઇનમાં, દિલ્હીમાં પરિસ્થિતિ કોબુમાં
મૌલાના સાદનો સંપર્ક પાક સાથે હોઇ શકે છે
મહંત નરેન્દ્ર ગિરીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે સમગ્ર દેશમાં કોરોનાને લઇને લોકડાઉન છે, તો એવા સમયમાં આખરે કયા કારણથી મૌલાના સાદે જમાત બોલાવી હતી. તેમને આશંકા વ્યક્ત કરી કે મૌલાના સાદનો સંપર્ક પાકિસ્તાન સાથે હોઇ શકે છે. એવામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગીથી આ સમગ્ર મામલે તપાસ કરાવવાની માગ કરી છે.
આ પણ વાંચો:- કોરોના વાયરસનો કહેર યથાવત, દિલ્હીમાં 3 ડોક્ટરના રિપોર્ટ આવ્યા પોઝિટીવ
મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, તપાસમાં જો જમાતમાં શામેલ લોકો આતંકવાદી નિકળે છે તો તેમને તત્કાલ ગોળી મારી દેવી જોઇએ. પરંતુ જો આ લોકો આતંકવાદી નથી તો તેમને એકાન્તમાં મોકલી દેવા જોઇએ. જેથી કોરોના સંક્રમણ દેશમાં ફેલાઇ શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે