નવી દિલ્હી: હિંદુઓના મુખ્ય તહેવારોમાં મકર સંક્રાંતિ (Makar Sankranti)નો તહેવાર મુખ્ય છે. આમ તો મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે જોતિષીય ગણતરીનું માની તો આ તહેવાર 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. જોકે આ દિવસે સૂર્ય, ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે આ ક્રિયાને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.
જો મકર સંક્રાંતિ (Makar Sankranti)ના શુભ મુહૂર્તની વાત કરીએ તો સ્નાન સવારના સમયે કરવું શુભ છે. તો સંક્રાંતિ આવતીકાલે 07:19 વાગે છે. તેનો પુણ્યકાળ 07:19 થી 12:31 વાગ્યા સુધી રહેશે અને તેનો મહાપુણ્ય કાળ 07:19 થી 09:03 વાગ્યા સુધી રહેશે. આ વખતે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે જેથી સૂર્ય 14 જાન્યુઆરીના રાત્રે 2:07 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. જોકે આ ક્રિયા 14 જાન્યુઆરીના રોજ અડધી રાત્રે થશે એટલા માટે આ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે.
મકર સંક્રાંતિ (Makar Sankranti) ઉજવવા પાછળની કહાની એ છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરે ગયા હતા અને પોતાની નાગજગીને ભુલાવી દીધી હતી. એટલા માટે માન્યતા છે કે આ દિવસે પુણ્ય કરવાથી લાભ મળે છે અને સુખમાં વધારો થાય છે. આ ઉપરાંત ભારતમાં આ દિવસને એટલા માટે પણ ખાસ ગણવામાં આવે છે કારણ કે લોકો ખાસકરીને આ દિવસે પતંગ ઉડાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે