મુંબઇ: સતત વરસાદને કારણે મુંબઇવાસીઓને કોઇને કોઇ અઇચ્છનીય ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલમાં જ બનેલી દૂર્ઘટના મુંબઇના ડોંગરી વિસ્તારની છે. જ્યાં એક 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે બિલ્ડિંગના કાટમાળમાં હજુ સુધી 28 લોકો ફસાયા હોવાથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.
Mumbai: Kesarbai building has collapsed at Tandel street, in Dongri. More than 40 people are feared trapped. pic.twitter.com/H2eVbtgaH6
— ANI (@ANI) July 16, 2019
વધુમાં વાંચો:- Live- ‘MLAને મળવા માટે સમય માગવા છંતા સ્પીકર તેમને કેમ ના મળ્યા?’: CJI
કેસરબાઇ બિલ્ડિંગના ધરાશાયી થવા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ બિલ્ડિંગમાં લગભગ 15 પરિવાર રહેતા હતા. જેમનું કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અમારી પ્રાથમિકતા પ્રભાવિત લોકોને મદદ પહોંચાડવાની છે. ઘટના બાદ આસપાસની બિલ્ડિંગો ખાલી કરાવી દેવામાં આવી છે. અને મુંબઇ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત બચાવ કાર્યમાં લાગી ગઇ છે. જણાવી દઇએ જે બિલ્ડિંગ ધરાશાયી થઇ છે તે લગભગ 100 વર્ષથી વધારે જુની જણાવવામાં આવી રહી છે.
વધુમાં વાંચો:- આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત
મળતી જાણકારી અનુસાર દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં 15થી પણ વધારે પરિવાર રહેતા હતા. બીએમસીના પીઆરઓનું કહેવું છે કે, આ મ્હાડા બિલ્ડિંગ હતી. પરંતુ ચોકાવનારી વાત એ છે કે, આ બિલ્ડિંગનું નામ જર્જરીત થઇ ગયેલી બિલ્ડિંગની લીસ્ટમાં નથી. બે ત્રણ દિવસ પહેલા સ્થાનિક લોકોએ આ બિલ્ડિંગની એક તસવીર લીધી હતી. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, આ બિલ્ડિંગની સ્થિતિ કેટલી ખરાબ છે.
Mumbai: A four-storey building has collapsed in Dongri area, many feared trapped, fire tenders rushed to the site; more details awaited pic.twitter.com/VtD3iXLfVk
— ANI (@ANI) July 16, 2019
વધુમાં વાંચો:- 2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ
આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યૂલન્સ સહિત બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે. જો કે, રેસ્ક્યૂ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, મુંબઇના ડોંગરીમાં કેસરબાગ નામની બિલ્ડિંગ ધરાશાયી થઇ છે. આ ઘટના મંગળવાર 11:30 વાગ્યાની આસપાસ બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મંગળવારે અચાનક આ બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ.
વધુમાં વાંચો:- Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’
જે સમયે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો આ બિલ્ડિંગમાં હાજર હતા. ત્યારે લગભગ 40 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલના સમયે આ બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ જાણવા મળી રહ્યું નથી. પરંતુ લોકો એવું કહી રહ્યાં છે કે, સતત વરસી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ ધરાશાયી થઇ છે.
Mumbai: A team of National Disaster Response Force (NDRF) has rushed to the building collapse site in Dongri. https://t.co/MrPzbgHSfc
— ANI (@ANI) July 16, 2019
વધુમાં વાંચો:-ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત
બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. એવામાં તંત્ર જ્યારે ઘટનાસ્થળ પર પહોંચે છે તો પહેલા તેઓએ લોકોના ટોળા દુર કર્યા અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે