મુંબઈ: માયાનગરી મુંબઈના પરા વિસ્તાર અંધેરીના વીરા દેસાઈ રોડ વિસ્તારમાં એક કોમર્શિયલ બહુમાળી ઈમારતમાં આગ લાગવાથી હડકંપ મચી ગયો. આ આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાની કવાયતમાં લાગી છે. ફાયર બ્રિગેડે અત્યાર સુધી 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. બિલ્ડિંગમાં કેટલાક લોકો હજુ ફસાયા હોવાની આશંકા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
જુઓ LIVE TV
એવું કહેવાઈ રહ્યું છે કે આ બિલ્ડિંગ 17 માળનું છેઅને આ આગ એસીમાં લાગી જેના કારણે બિલ્ડિંગના ઉપરના ફ્લોર આગની ચપેટમાં આવી ગયાં હતાં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
વિસ્તૃત માહિતી માટે રાહ જુઓ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે