Home> India
Advertisement
Prev
Next

UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત

લોકડાઉનના કારણે મજૂરોનું સતત પલાયન ચાલુ છે. કોઈ પગપાળા તો કોઈ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા જ પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને રોડવેઝની બસે કચડી નાખ્યા છે. ગુરુવારે વહેલી સવારે ઘટેલી આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત

નવી દિલ્હી: લોકડાઉનના કારણે મજૂરોનું સતત પલાયન ચાલુ છે. કોઈ પગપાળા તો કોઈ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા જ પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને રોડવેઝની બસે કચડી નાખ્યા છે. ગુરુવારે વહેલી સવારે ઘટેલી આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

fallbacks

એવું કહેવાય છે કે તમામ મજૂરો પંજાબમાં કામ કરતા હતાં અને બિહાર જઈ રહ્યાં હતાં. મજૂરો પગપાળા જ ગુરુવારે મુઝફ્ફરનગર કોતવાલીના સહારનપુર રોડ પર પહોંચ્યા હતાં. ત્યારે જ એક રોડવેઝની બસે તેમને કચડી નાખ્યાં. આ ઘટનામાં 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

જુઓ LIVE TV

આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. તરત ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જામાં લીધા તથા ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા. પોલીસના જણાવ્યાં મુજબ મૃતક મજૂરો બિહારના ગોપાલગંજ જિલ્લાના રહીશ છે અને પંજાબથી પગપાળા પોતાના વતન પાછા ફરી રહ્યાં હતાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More