Home> India
Advertisement
Prev
Next

ત્યાગની મિસાલ: Corona થી સંક્રમિત દાદાએ એક યુવક માટે છોડ્યો પોતાનો બેડ, 3 દિવસ બાદ થયું નિધન 

RSS ના સ્વયંસેવક રહી ચૂકેલા 85 વર્ષના વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકરે ડોક્ટરને કહ્યું, મારી ઉંમર 85 વર્ષ ઉપર થઈ ગઈ છે. ઘણું જોયું છે, બેડની જરૂર મારા કરતા વધુ આ મહિલાના પતિને છે. બાળકોને પિતાની જરૂર છે.

ત્યાગની મિસાલ: Corona થી સંક્રમિત દાદાએ એક યુવક માટે છોડ્યો પોતાનો બેડ, 3 દિવસ બાદ થયું નિધન 

નાગપુર: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાં દેશના તમામ શહેરોમાં ઓક્સિજનથી લઈને હોસ્પિટલોમાં બેડની ભયંકર અછત જોવા મળી રહી છે. આ દરમિયાન નાગપુરમાં એક વૃદ્ધ તરફથી ઉત્કૃષ્ટ મિસાલ રજુ કરાઈ. આરએસએસના સ્વયંસેવક રહી ચૂકેલા 85 વર્ષના વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકર પોતે કોરોના સંક્રમિત હતા અને તેવા સમયે તેમણે અંતિમ સમયે જે રીતે  ત્યાગ કર્યો તેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. તેમણે એક યુવક માટે પોતાનો બેડ છોડ્યો. તેમણે કહ્યું કે તેને જીવનની વધુ જરૂર છે. 

fallbacks

પોતાનો બેડ છોડી ઘરે આવી ગયા
મહારાષ્ટ્રના નાગપુરના એક વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકર પોતે કોરોના સંક્રમિત હતા અને તેમને બેડની જરૂર હતી. ખુબ મહેનતથી તેમનો પરિવાર તેમના માટે હોસ્પિટલમાં એક બેડની વ્યવસ્થા કરી શક્યો. દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ એક મહિલા તેના પતિને લઈને હોસ્પિટલ પહોંચી. મહિલા તેના પતિ માટે બેડની શોધમાં હતી. મહિલાની પીડા જોઈને નારાયણે ડોક્ટરને કહ્યું, મારી ઉંમર 85 વર્ષ ઉપર થઈ ગઈ છે. ઘણું જોઈ ચૂક્યો છું, મારું જીવન જીવી ચૂક્યો છું. બેડની જરૂર મારા કરતા વધુ આ મહિલાના પતિને છે. તે વ્યક્તિના બાળકોને પિતાની જરૂર છે. આમ કરીને તેઓ પોતાનો બેડ છોડી ઘરે આવી ગયા.  જેથી કરીને યુવકને બેડ મળી શકે. તેઓ પોતે કોરોના સંક્રમિત હતા. ઓક્સિજન લેવલ 60 સુધી પહોંચી ગયું હતું. 

3 દિવસ બાદ થયું નિધન 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા દાભાડકરે બીજા સર સંઘચાલક માધવરાવ સદાશિવ રાવ ગોલવલકર સાથે સંઘનું કામ કર્યું હતું. હવે તેમના આ ત્યાગની મિસાલ આપવામાં આવી રહી છે. તેમની તબિયત બગડી તો તેમના જમાઈ અને પુત્રી તેમને ઈન્દિરા ગાંધી શાસકીય હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ખુબ મહેનત બાદ તેમને બેડ મળ્યો હતો. પણ એક યુવક માટે બેડ છોડ્યો. તેમના આગ્રહને જોતા હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવી લીધુ હતું કે હું મારો બેડ બીજા દર્દી માટે સ્વેચ્છાએ ખાલી કરી રહ્યો છું. દાભાડકરે આ સ્વીકૃતિ પત્ર ભર્યો અને ઘરે પાછા ફર્યા હતા. તબિયત બગડતી ગઈ અને 3 દિવસ બાદ નિધન થયું. 

'પોતાના કરતા બીજા પહેલા, આ જ સંઘની પરંપરા'
આરએસએસને  ખુબ નજીકથી જાણતા ઉત્કર્ષ બાજપેયી કહે છે કે પોતાના કરતા બીજાનું કલ્યાણ પહેલા એ સંઘની પરંપરા છે. નારાયણજીએ જે કર્યું તે એક સ્વયંસેવકની ઓળખ છે. તેમણે કહ્યું કે સંઘ પોતાના સ્વયંસેવકોને હંમેશા એ શીખવાડે છે કે જેને વધુ જરૂર હોય, તેને સંસાધનની ઉપલબ્ધતા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. નારાયણજીએ એ જ કર્યું. 

Corona Update: દેશમાં કોરોનાની ભયજનક સ્થિતિ, પહેલીવાર 24 કલાકમાં 3 હજારથી વધુ મૃત્યુ, 3.60 લાખથી વધુ નવા કેસ

Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો

Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More