NHRC Foundation Day: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (National Human Rights Foundation Day) ના 28માં સ્થાપના દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આઝાદી માટે આપણું આંદોલન અને આપણો ઈતિહાસ માનવાધિકારોની પ્રેરણા અને માનવાધિકારના મૂલ્યોનો ખુબ મોટો સ્ત્રોત છે. તેમણે એમ પણ કહ્યું કે માનવાધિકારોના નામ પર કેટલાક લોકો દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે અને આપણે તે પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગરીબ લોકોને શૌચાલય, રાંધણ ગેસ જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવી, ત્યારે તેનાથી પણ તેમનામાં અધિકારો પ્રત્યે જાગૃતતા ઉત્પન્ન થઈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવાધિકારોને રાજનીતિક ફાયદા-નુકસાનની દ્રષ્ટિથી જોવા, તે આ અધિકારોની સાથે સાથે લોકશાહીને પણ નુકસાન પહોંચાડે છે. માનવાધિકારોના નામ પર કેટલાક લોકો દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે, આપણે તે પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.
हम देखते हैं कि ऐसे ही सलेक्टिव व्यवहार करते हुए कुछ लोग मानव अधिकारों के हनन के नाम पर देश की छवि को भी नुकसान पहुंचाने का प्रयास करते हैं।
ऐसे लोगों से देश को सतर्क रहना है।
- पीएम @narendramodi pic.twitter.com/E0Q1nsj17k
— BJP (@BJP4India) October 12, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સ્થાપના દિવસ પર પોતાના ભાષણમાં સરકારના મહિલા સમર્થક પગલાં જેમ કે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો, 26 સપ્તાહની મેટરનેટી લીવ. વગેરેનો પણ હવાલો આપ્યો. માનવાધિકાર સંરક્ષણ કાયદા, 1993 હેઠળ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવાધિકારોી રક્ષા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી કરાઈ હતી. NHRC માનવાધિકારોના ભંગને ધ્યાનમાં લે છે અને તપાસ કરાવે છે તથા સાર્વજનિક પ્રાધિકારો દ્વારા પીડિતને માટે વળતરની ભલામણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે